________________
કાર્યકાર્ય કરાવવાની કટી ૨૩૧ જેટલે ગહણીય લાગે છે તેટલે વાસ્તવિક રીતે નથી. (૧) એક તે એ કે, કેટલાક શબ્દોના લક્ષણમાં એ દોષ અપરિહાર્ય છે. ધાળો, કાળો, ગળ્યો, કડ, ટાઢ, ઉને, પ્રકાશ, અંધકાર, વાસ,
સ્પર્શ વગેરે શબ્દોનાં લક્ષણ કઈ વ્યક્ત કરે છે તેમાં અન્યોન્યાશ્રય દેવ જ સ્પષ્ટ થાય. સદસવિવેકબુદ્ધિ કિંવા કશ્યન્સને તું કે અસત આપોઆપ સમજાય છે, એમ કહેનારા આધિદૈવત પક્ષમાં સત્યને જે એક અંશ છે, તે એ છે કે, સત્ય અને અસતો ભેદ ગળ્યું અને કડવું, ગોરે અને કાળે એ ભેદ પ્રમાણે જ અનુભવાય છે. અનુભવ સિવાય અન્ય પ્રમાણ નથી, તેનું પૃથક્કરણ કરી શકાય તેમ નથી અને તેનું તારતમ્યાત્મક મહત્ત્વમાપન પિતાના આત્માના અનુભવ પરથી જ કરી શકાય તેમ છે, એ તવ તે વાદના લક્ષમાં છે. જે જન્માંધ છે તેને કાળા અને ગોરાને ભેદ શબ્દથી સમજાવી શકાય નહિ. “ગળ્યું અને કડવું, ટાઢું અને ઊનું એ વચ્ચે રહેલે ભેદ મને કંઈ સમજાતો નથી” એમ કહેવાનું જો કઈ ગાંડપણ કરે તો તેને એ ભેદ કોણ કેવી રીતે સમજાવી શકે? સુબુદ્ધિ અને કુબુદ્ધિ, કિવા સૌજન્ય અને દૌર્જન્ય વચ્ચેના ભેદનું એમ જ છે. (૨) પરંતુ ટાઢા અને ઉના વચ્ચેનો ભેદ સ્પર્શેઠિયને જ સમજાય તેમ છે છતાં કોઈને કેટલી ડીગ્રી તાવ ચઢયો છે, હવામાં ઉણતા કેટલી છે વગેરે બાબતનો નિર્ણય આપણે કેવળ પદ્રિયની સહાયથી કરતા નથી. એ માટે ઉષ્ણતામાપક યંત્રને ઉપયોગ કરીએ છીએ. રોગીને તાવ વો છે કે ઘટયો છે તે તેને હાથ લગાડી સાધારણ રીતે કહી શકાય છે; પણ સૂક્ષ્મ ભેદ જાણવા માટે ઉષ્ણતામાપક યંત્રની સહાય વિના અન્ય માર્ગ નથી હોત. એ જ પ્રમાણે સદસવિવેક માટે સમજવાનું છે. આપણે અંતરાત્મા શું કહે છે તે પર જ છેવટે આવવું પડે તો પણ અંતરાત્માને નિર્ણય કેટલે દર જજે બરાબર છે તે ઠરાવવા માટે વિચારી પુરુષોએ નીતિનિર્ણાયક થર્મોમિટર કરેલું છે. કોઈ કહે છે કે, થમમિટર જેમ સ્નેહી કે શત્રુ, મા કે દાઈને તાવ કેટલો છે તે પક્ષપાત કર્યા વિના સમબુદ્ધિથી બિનચૂક કહે છે, તેમ નિષ્પક્ષપાત રીતે નીતિનિર્ણય કરનાર માણસ એટલે નિર્વિકાર, જિતેન્દ્રિય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org