________________
२२५
કાકાર્ય કરાવવાની કસોટી પકડવાનું જણનાર પ્રત્યેકને—છોકરાઓને પણ દેશને માટે યુદ્ધ કરવાને
એમ આવ્યો હતો. અર્થાત વર્ણ અને આશ્રમ જો કે બ્રાહ્મણ તરફ ખેંચી જતા હોય તો પણ તેને આગ્રહ બાજુએ રાખી કોઈ પ્રસંગે ચાલવું પડે છે. વર્ણ અને આશ્રમના આગ્રહને ક્યારે વિશેષ માન આપવું અને ક્યારે ન આપવું તે ઠરાવવા માટે આપણું યેય શું, પુરુષાર્થનાં અંગ કયાં, તેમાંના કેને ઓછું વડું મહત્ત્વ શા માટે આપવું વગેરે બાબતો જોવી પડે છે. કર્તવ્ય ઠરાવવામાં વર્ણ અને બાશ્રમ જોવાનું તત્ત્વ ધરાબર છે; પણું “પરિસ્થિતિ, પ્રસંગ, અય વગેરે વાતો પણ જોવી” એટલે તેમાં વધારે કરવું જોઈએ. સ્થિતપ્રજ્ઞનું દર્પણ જેવું સ્વચ્છ મન જે કહે તે ખરું, એ ભગવદ્રગીતાની કસોટી ભૂલ વગરની છે. કેમકે સ્થિતપ્રજ્ઞને સર્વ બાબતનું જ્ઞાન હોય છે, તેની ઈદ્રિય કદી પણ તેને ભળતા માગે
ચી જતી નથી, ખેંચવાની ઈચ્છા પણ કરતી નથી; તેની આત્મવંચના થવી શક્ય નથી. તે પિતાની માફક જ અન્યના સુખ, હિત, કલ્યાણ તરફ જુએ છે. કારણ, તે કુદરતી રીતે જ સમબુદ્ધિ હાય છે અને તેને વિશ્વ જ કુટુંબરૂપ લાગે છે. પૂર્ણત્વને પહોંચેલા માણસને આમાં જે કાર્યથી પ્રસન્ન થાય તે કાર્ય સારું એ કસોટી શુદ્ધ છે, પણ હાલના જગતમાં સ્થિતપ્રજ્ઞ મળી આવતા નથી એમ કહેવું એ ભલે સાહસ હશે; તોપણ એટલું તે નક્કી જ છે કે તેવા પુરુષ અતિ અલ્પ સંખ્યામાં હશે. સ્થિતપ્રજ્ઞ નહિ એવાએના અંતરાત્માના નિર્ણયના સત્યત્વ વિષે ખાતરી પડતી નથી અને પડવી પણ ન જોઈએ. એવા અર્ધદગ્ધ માણસોને અંતરાત્માના ચક્ષુ પર જ છેવટે આધાર રાખ પડશે; પણ ભિન્ન કાર્યના એ વત્તા મહત્ત્વનું માપ કરતી વખતે એકાદ તાવિક ત્રાજવું હાથમાં હોય છે તે દષ્ટિદેષ થવાને સંભવ ઓછો હોય છે. આંધળે કંઈ જોઈ શકતા નથી એ ઠીક છે, પરંતુ ચક્ષુવાળે સુધા બરાબર જોઈ શકે છે એમ કંઈ નથી હોતું. દૃષ્ટિમાં ભૂલ ન થાય તે માટે ફૂટપટ્ટી, ટેપ, તુલા વગેરે બનાવેલાં છે. એ પ્રમાણે અંતરાત્માની શાંતિ કિંવા પ્રસન્નતાની જ કસોટી છેવટે ખરી માનવી પડે તે પણ એ પ્રસન્નતાની દષ્ટિ નિર્દોષ લેવા બદલ સામાન્ય માણસને આમપ્રત્યય થાય તે ખાતર “બને તેટલું પિતાનું અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org