________________
કાર્યાકાર્ય કરવાની કટી થવાતી ઈ! રાખવી કે શત્રુથી રાષ્ટ્રનું રક્ષણ કરવાના હેતુથી ચિમાં દાખલ થવાની ઈચ્છા રાખવી, એ પ્રશ્નનો ઉત્તર ભિન્ન પ્રસંગે ભિન્ન જ આપવું પડશે. રાષ્ટ્ર માટે પ્રાણ આપવાને તત્પર રહેવું એ પ.નાના અન્ય કાર્યમાં લીન બની રહેવા કરતાં કેટ છે; પણ શાંતિના સમયમાં ઉત્તમ ચિત્રકારે પોતાના ચિત્રકાર્યમાં જ તલ્લીન બનવું જોઈએ. તેવા પ્રસંગે રાષ્ટ્રહિત સાધવાની સદબુદ્ધિથી યુદ્ધકલામાં પ્રાણ થવાની પંચાતમાં પડવું દષ્ટ નથી. યુદ્ધ ચાલતું હોય તોપણ ઉત્તમ ચિત્રકારની સૈન્યમાં નામ નોંધાવવાની ફરજ નથી. કારણ કે સૈન્યની બહાર રહીને જ તે દેશને વિશેષ લાભ કરી શકે તેમ છે. પણ એકાદ મહાયુદ્ધ ચાલતું હોય અને દેશના પ્રત્યેક માણસે યુદ્ધમાં ઝંપલાવવાની જરૂર હેય તેવા પ્રસંગે ચિત્રકારે પોતાની પીંછી ફેંકી દઈ તલવાર ખેંચી શત્રુના શરીરમાં ભોંકી દઈ બૂમરૂપી ચિત્રપટ પર રક્તનાં “પણ ચિત્ર આલેખવાં એ જ ઇષ્ટ હોય છે,
ફરી કરીને પણ એ જ કહીશું કે કાર્ય અકાર્યનું છાપેલું ટીપણું તૈયાર થઈ શકે તેમ નથી. માત્ર મુખ્ય મુખ્ય ધારણ કહી કાકાય. જે કંઈ કરવું હોય તે કેવળ સર્વમાં અધિક સુખદાયી હેય તે જ ઠીક છે એમ કહીને અટકી પડાય નહિ. યોગ્ય તે એ છે કે તેનાથી અંતરાત્માને સંતોષ થવો જોઈએ, આત્મા પ્રસન્ન
જોઈએ. સૌજન્યથી આત્મા પ્રસન્ન થાય છે, અન્યથી નહિ. આપણો સ્વભાવ, વર્ણ, આશ્રમ, પરિસ્થિતિ, સામર્થ, કાળ, પ્રસંગ જોઈ આપણું વર્તન નિયત કરવું જોઈએ; આત્મોન્નતિ અને પરેન્નતિનું શ્રેય જેથી સાથે થાય તે સતકાર્ય, પછી તે માર્ગે વિશેષ સુખ મળે કે ન મળો વગેરે તત્ત્વ ધ્યાનમાં રાખીને
બુદ્ધિ કઈ અને અસદ્દબુદ્ધિ કઈ કાર્ય કર્યું અને અકાર્ય કર્યું એ વાતને નિશ્ચય કરો. પ્રત્યેકને નૈતિક અધિકાર, બુદ્ધિ, અભિરુચિ વગેરે ભિન્ન હોવાથી પ્રત્યેકને નીતિનિર્ણય સર્વાગે સરખો હે શક્ય નથી, પણ પિતાના મન સાથે શાંતિપૂર્વક વિચાર કરી, સજજનની સલાહ લ, શિષ્ટને આચાર જે પરિસ્થિતિ લક્ષમાં રાખી, આત્મોન્નતિ અને પોન્નતિનું ધ્યેય સમક્ષ રાખી આપણે જે નિર્ણય કર્યો હોય તેમાં સ્વાર્થ બુદ્ધિ કે ઈકિયવાસના નથી એવી પક્કી ખાતરી કરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org