________________
૨૧૮
નીતિશાસ્ત્રપ્રવેશ બીજું એ છે કે, નીતિમત્તાને અનુકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન કરવી એ પણ પરંપરાથી નીતિપષણ જ છે. પિતાના તેજસ્વી દષ્ટાંતથા અન્યનું સૌજન્ય વધારવું એ એક માર્ગ છે જ. પણ નીતિમત્તાને અનુકૂલ પરિસ્થિતિ ઉત્પન્ન કરવાને માર્ગ તદ્દન ત્યાજ્ય નથી. મનુષ્ય પાપ કેમ કરે છે? તે અજ્ઞાની હોય છે, તેને કુસંગત લાગેલી હોય છે, તેને ખરાબ ટેવો પડેલી હોય છે અને સાત્વિક આનંદને ઉપગ તેને પ્રિય હેત નથી અથવા તેનામાં શક્તિ હોતી નથી. માટે એ પ્રતિકૂલ પરિસ્થિતિમાં આપણાથી બને તેટલું પરિવન કરવામાં આવે તે આપણે તેને ઉચિત આત્મવિકાસમાં સહાય કર્યા જેવું જ ગણાય. મુંબઈ જેવા શહેરમાં ગરબાને રહાન સારી ઓરડીઓ આપવામાં આવે તે તેમની નીતિમત્તા સુવરવાનું થોડું ઘણું શ્રેય મળવું જ જોઈ એ.
નેતિપઘણને મોટી મોટી વાત પુસ્તક અધર વર્તમ! - પત્રમાં શોભે છે; વ્યવહારમાં એ ઉચ્ચ હેતુ રાખીને વતન રા ઘણા જ ઘેડા હોય છે, પણ કહેવું જોઈએ કે તેઓ અનીતિમાન હોય છે અથવા તેમના આચરણથી નીતિમાં વૃદ્ધિ થતી નથી એમ ન કહેવાય. માતા શું જગતની ની તમત્તા સુધારવાના ઉચ્ચ હેતુથી બાળકને લાડ લડાવે છે, તેનું મન દુ:ખવતી નથી અને તેની હઠ ચાલવા દે છે? અથવા શું બાળકની નીતિ સુધારવા માટે તેમ કરે છે? ને, બિલકુલ નહિ. તે બાળકને તાત્કાલિક સુખ તરફ જતી હોય છે તેથી ભવિષ્યમાં અનેક વખત હાનિ થાય છે. પણ તેના પ્રેમને જેટલે નીતિને આધાર હશે તેટલે અન્યન નહિ હોય! સર્વ નીતિ શાસ્ત્રવેત્તાઓને, શિક્ષણ શાસ્ત્રને, વેદાંતીઓને, પૌરાણિકને વ્યાખ્યાનકારોનો અને વર્તમાનપત્રકારને સર્વ વક્તૃત્વપૂર્ણ અને વિદત્તા પ્રચુર છે દેશ ત્રાજવાના એક પલ્લામાં નાખવામાં આવે અને તેમાં આધુનિક સમાજસેવાવાદી લોકોનાં હસ્તપત્રકે, રાત્રીના વર્ગ, મેજિક લેન્ટર્નના ખેલ વગેરેને વધારે કરવામાં આવે અને બીજા પલ્લામાં અશિક્ષિત માતાની ઘેલી માયા ગોઠવવામાં આવે તે જગતના કઠોર વ્યવહારને કોમળ અને સ્નિગ્ધ સ્વરૂપ આપવાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org