________________
૨૧૬
નીતિશાસ્ત્ર પ્રવેશ આત્મપ્રસાદની યોગ્યતા વિશેષ છે. આપણે પે સુદ ઈકિયસુખને ત્યાજ્ય સમજી આપણી સમક્ષ ઉચ્ચતર આત્માનંદનું ધ્યેય રાખીએ છીએ, તે પ્રમાણે લોકોનું ‘હિત” કરવાના પ્રસંગે તેમના શુક વિષયસુખ કરતાં તેમના નિઃશ્રેયસુખને લાભ તેમને મળે એ વિશે આપણે દક્ષ રહેવું જોઈએ.
આપણા હદયમને ખરે આ મા–પરમાત્મા આપણને પિતાનું શ્રેય સાધવા કહે છે, અને એ શ્રેયના વિરોધથી આપણે
સ્વરૂપ બને તેટલા વિશેષ પ્રમાણમાં રમ્ય અને પ્રેમમય થાય એમ તે ઈચ્છે છે. ખરે પ્રેમ અન્યને સુખ આપવાનું કહેતા નથી પણ તે કહે છે કે, તેનામાં પણ તારી માફક આત્મા છે માટે તે આમાનું શ્રેષ્ઠ સ્વરૂપ સર્વાગે વ્યકત થવામાં તારાથી બને તેટલી સહાય આપ. ખરી સૌદર્યપ્રિયતા અથવા રસિકતા પણ ગમે તે રસેપભોગ લેવા કહેતી નથી. તે તો સાત્ત્વિક રસસ્વાદ લેવાને આજ્ઞા કરે છે. આત્મહિતની આ ઉચ્ચ કલ્પનાને અનુસરીને જ પરહિતની કલ્પના હોવી જોઈએ. “પરહિત ” સાધવું એ આપણું કર્તવ્ય છે, પણ એને અર્થ એ નથી કે બીજે જે કાંઈ માગે તે તેને આપવું તેનો અર્થ તો એ છે કે, આપણી માફક જ તેના હૃદયમાં પણ વાસ કરનારા આત્માને સગે વિકાસ થાય અને તેને આત્મપ્રસાદને લાભ મળે એવા આશયથી બને તેટલી આ પણ તે સહાય કરવી. હા, આપણા સ્વાનુભવ પરથી આપણે એવું વિશ્વમાં કરી શકીશું કે, આત્માની પ્રસન્નતાનો આધાર અન્ય કાર્ય કરતાં આણી નીતિમત્તા પર વિશેષ છે. જ્ઞાન (એટલે વિદત્તા), વકતૃત્વ, રસિકતા, અપત્ય—ધન-દાદિ–સંપત્તિમત્વ વગેરે ગુણેને સમવાય દૂધ જેવો મીઠો છે, પણ એ દૂધમાં નીતિમત્તાની સાકર પડે 'તે સારું. જે પાપવૃત્તિ રૂપી મીઠાને ગાંગડે. તેમાં પડે તે તે દૂધની મધુરતા નાશ પામે. પાપકર્મ માટે આપણા મનમાં ડંખ થાય છે તે પછી ખાવુંપીવું, નાટક, કાવ્ય કંઈ પણ સારું લાગતું નથી, બીજી બાજુ આપણે કંઈ પણ અપરાધ નથી હોતે તો પણ કોઈ મોટી આફત આવી પડે છે ત્યારે આપણા ચિત્તમ ખળભળાટ થાય છે, પણ ઉપરનાં મોજાં નીચે આત્મામાં એક પ્રકારની શાંતિ અને પ્રસન્નતા અચળપણે રહે છે. નીતિમત્તા વિના
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org