________________
२०
યુરેપિયતા હમેશાં ઇતિહાસના ત્રણ ભાગ પાડે છે. એક પુરાતન કાળ, એટલે ગ્રીક અને રેશમનાના સુધારાતા કાળ; બીજો મધ્યકાળ, એટલે રામનકૅથલિક ધર્મના વર્ચસ્વને કાળ અને ત્રીજો અર્વાચીન કાળ, એટલે યુરેાપનાં ભિન્ન ભિન્ન રાષ્ટ્રાની પ્રતિના કાળ. ગ્રીકલોક મહાબુદ્ધિશાળી, વિશેષતઃ વિવાદપ્રિય હતા તેથી તેમના સાાહત્ય અને શાસ્ત્રની અલ્પકાળમાં વિલક્ષણ પ્રગતિ થઈ હતી. અર્વાચીનકાળનાં ઘણાંખરાં શાસ્ત્રાને પાયે તેમણે નાખેલા છે. શાસ્ત્ર એટલે અનુભવ તથા વિચાર એ એ સાધનથી એકાદ વિશિષ્ટ વિષયનું પ્રાપ્ત થયેલું વ્યવસ્થિત અને અને સંકલિત જ્ઞાન; એ શાસ્ત્રકલ્પના ગ્રીાની છે. તેમણે જ ભિન્ન ભિન્ન શાસ્ત્રની વ્યાખ્યા અને મર્યાદા ધરાવી સ માનવી શાસ્ત્રોનું વર્ગીકરણ કર્યુ છે. નીતિશાસ્ત્ર તા ગ્રીકોના જમાનામાં લગભગ પૂર્ણ અવસ્થા પામ્યું હતું. પ્રથમતઃ ગ્રીક નીતિશાસ્ત્રજ્ઞાએ સ નીતિનિયમને પાયેા મનુષ્યનું સુખવન છે એ મત સ્થાપિત કર્યો છે. પણ તેમનું નીતિવિષયક તત્ત્વ એટલું જ હતું એમ કઈ નથી. આ તત્ત્વ એ નીતિને શાસ્ત્રીય વિચાર કરતાની સાથે પ્રથમતઃ મનમાં ઉત્પન્ન થતું તત્ત્વ છે. પણ નીતિને પાયે જ્ઞાન છે. નીતિના પાયા માનવી પરિપૂર્ણતા, સર્વ નીતિને સાર એટલે આધ્યાત્મિક વિકાસ વગેરે ઉદ્દાત્ત તત્ત્વો પ્રસ્થાપિત કરવાને પ્રયત્ન ગ્રીકાએ જ કર્યો છે.
યુરોપમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર થયા ત્યારે ગ્રીક અને રામન સંસ્કૃતિની વૃદ્ધિ અટકી ગઈ હતી. ખ્રિસ્તીધમે મુખ્યત્વે ગ્રીક અને રેશમન સંસ્કૃતિને અજ્ઞાત એવી કલ્પના આગળ કરી. તે કલ્પના એટલે ખ્રિસ્તીધર્મ એ ઈસુ અથવા ઈશ્વરના પુત્રે પ્રચલિત કરેલા ધ છે અને બાયબલ એ ધર્મનું ઈશ્વરપ્રણીત પુસ્તક છે. એ બાયબલમાં ઈશ્વર વિષે વિવેચન છે, તેમાં સૃષ્ટિની ઉત્પત્તિનું વિવેચન છે, તેમાં મનુષ્ય અને ઈશ્વર સંબંધી વિવેચન છે, તેમાં માનવકતવ્યનું વિવેચન છે; સારાંશ, સામાન્યતઃ માણસને જરૂરની સર્વ વાતનું જ્ઞાન એક સ્થળે એ પ્રમાણભૂત પુસ્તકમાં હાવાની સમજ ખ્રિસ્તીધમે પેાતાના ફેલાવા સાથે પ્રચલિત કરી. એ કાળે સામાન્ય લાકની ભાષા તથા ધર્મોપાધ્યાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org