SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ १९ નાને લાગવા માંડ્યો. પ્રથમ તો તેમને આ જ્ઞાનભંડારમાં કમર ઘણા જ ઓછા દેખાયા. વળી એ કમરાઓને વ્યવસ્થિત રીતે નામ અપાયેલાં નજરે પડ્યાં નહિ. કોઈ કોઈ સ્થળે નામ હતાં; પણ કદી કદી તે નામ અને ઓરડાની વસ્તુઓમાં કંઈ પણ મેળ જણાય નહિ. તેમજ પ્રત્યેક કમરામાં ગમે તેવી વસ્તુઓની ખીચડી થયેલી તથા કેટલાકમાં વસ્તુઓને માત્ર ઢગલો જ પડેલો જણા; એ ઉપરાંત પ્રત્યેક કમરામાં કચરોપૂજે તથા નિરુપયોગી ઢેફાં પણ દષ્ટિએ ચડ્યાં. આ સર્વ દેખાવથી આ જ્ઞાન ભંડાર માટે તેમનો અભિપ્રાય ઘણો જ પ્રતિકૂળ થયે. (પરિણામે ) “ આપણે ત્યાં શાસ્ત્રની બિલકુલ પ્રગતિ થઈ નથી અને વિશેષત: આપણે ત્યાં નીતિશાસ્ત્ર બિલકુલ છે જ નહિ; આપણા સાહિત્યમાં ઘટપટાદિકને માત્ર વ્યર્થ બડબડાટ ઘણો છે,” એ મત તે કાળે પ્રાદુર્ભત થયો અને તે સર્વ સુશિક્ષિતોની સંમતિ પણુ પામ્યો. પછી આપણામાં અંગ્રેજી વિદ્યાને લીધે સ્વત્વ અને દેશાભિમાનની લાગણી ઉત્પન્ન થઈ. આપણને યુરોપિયનેએ કરેલા સંસ્કૃત સાહિત્યના વ્યવસ્થિત અભ્યાસની માહિતી થવા લાગી તેમજ અંગ્રેજી સાહિત્યના ચિરપરિચયથી તે સાહિત્ય વિષેનું અદ્વિતીય આશ્ચર્ય અસ્ત પામ્યું. સ્વત્વ અને દેશાભિમાનની દષ્ટિએ કેટલાક સુશિક્ષિતો આપણા સાહિત્ય તરફ જોવા લાગ્યાથી જેમ જેમ સૂક્ષ્મ નિરીક્ષણ થતું ગયું, તેમ તેમ પ્રથમને પ્રતિકૂળ ગ્રહ બદલાતો ગયો અને લોલકને બીજી બાજુની ગતિ મળી અને તે ઠેઠ બીજા છેડે પહોંચ્યું. “ આપણામાં સર્વ કંઈ છે, આપણું સાહિત્ય પરિપૂર્ણ છે અને આપણું નીતિશાસ્ત્ર સર્વ કરતાં ઊંચું છે,” એ મત પ્રબળપણે આગળ આવવા લાગ્યો અને હાલમાં જનમનપર તેની સત્તા બેઠેલી જણાય છે. આટલા ઐતિહાસિક સિંહાવલોકન પછી હવે આપણે એ મતના સત્ય તરફ વળીશું. બન્ને મતમાં અસત્યોક્તિ તથા અતિશયોક્તિનો ઘણો જ ભાગ છે. આ લેખકનો મત એવો છે કે, ખરું સત્ય મધ્યવતી છે. એ મત છે અને કેવી રીતે સાચે છે તેનો હવે વિચાર કરીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy