________________
નીતિશાસ્ત્ર એટલે ચેખો સુખવાદ; ત્યાંની નીતિની કલ્પના એટલે વિષયસુખ આપે તે સારું; દુઃખ દે તે ખરાબ”. યુરોપી શાસ્ત્રોની દષ્ટિ ચોખ્ખી ઐહિક અને બહિર્મુખ છે. આપણા નીતિશાસ્ત્રની દૃષ્ટિ પારમાર્થિક અને અંતર્મુખ છે. એટલે આપણું નીતિશાસ્ત્ર આગળ યુરોપી નીતિશાસ્ત્ર કંઈ જ વિસાતમાં નથી –એક ક્ષુદ્ર પદાર્થ છે.”
આ બે મત લલકના બે છેડા જેટલા પર પર દૂર છે. પરંતુ લોલકના બે છેડામાં વિરોધ હોય છે તો પણ લોલક ક્રમસર એક છેડાથી બીજા છેડા સુધી હાલતું હોય છે અને ત્યાં તે અતિ અલ્પકાળ ટકે છે; ઊલટું લોલક મધ્ય સ્થળે જ વિશેષ ટકે છે અને તે સ્થળનું મધ્ય એ જ તેનું સ્થિર બિંદુ હોય છે. આ જ વાત, વિચાર અને મત અથવા આધ્યાત્મિક વાતને લાગુ પડે છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેવા અત્યંત વિરુદ્ધ મતમાં સત્યાંશ ઓછો હોય છે અને એવા મત ચિરકાળ ટકે તેવા નથી હોતા. સત્ય મધ્યવત હોય છે અને એવા મત જ વિશેષ ચિરસ્થાયી હોય છે. ઘેડા ઐતિહાસિક સિંહાવલોકનથી નીતિશાસ્ત્ર માટે એવા પરસ્પર વિરુદ્ધ મત કેમ અને કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા છે તેને નિર્ણય થવા જે છે. તેથી તેવું સિંહાવલોકન કરવાની આવશ્યકતા છે.
આપણે ત્યાં અંગ્રેજી વિદ્યાનો આરંભ થવાથી તે વખતના અંગ્રેજીને અભ્યાસ કરનાર સુશિક્ષિત માટે યુરોપના જ્ઞાનભંડારનાં દ્વાર એ ભાષાદ્વારા ખુલ્લાં થયાં હતાં. યુરોપના જ્ઞાનભંડારની વિશાળતા, ભંડારના ભિન્ન ભિન્ન કમરા, પ્રત્યેક કમરાને અપાયેલાં નામ, પ્રત્યેક કમરામાં એક જ જાતિનાં રત્નોથી તૈયાર થયેલાં સુંદર તથા દૃષ્ટિમનોહર તોરણ એ અદ્વિતીય દેખાવથી તે કાળના સુશિક્ષિતેની દૃષ્ટિ અંજાઈ ગઈ હોય તો તેમાં નવાઈ શી છે ? એ સુશિક્ષિત મંડળ એ પ્રચંડ જ્ઞાનભંડારમાં પ્રવેશ કરી તેના ભિન્ન કમરા તથા તેમાંની વસ્તુઓનું ડું ઘણું નિરીક્ષણ કરવા લાગ્યું. આ નિરીક્ષણ પછી જ્યારે તેઓ જૂના સંસ્કૃત જ્ઞાન ભંડાર તરફ વળ્યા, ત્યારે તેમને યુરોપના જ્ઞાનભંડાર કરતાં તે ઘણો જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org