________________
“નીતિશાસ્ત્ર–પ્રવેશ” નામ આપ્યું છે, પણ એ પુસ્તક કેવળ ઉપધાતાત્મક કે સંક્ષિપ્ત વિવેચન કરનારું પુસ્તક નથી. આપણા વિશ્વવિદ્યાલયમાં બી. એ.ની પરીક્ષામાં નીતિશાસ્ત્રને અચ્છિક વિષય લેનાર વિદ્યાથીને જેટલો અભ્યાસ કરવો પડે છે, તેટલું વિષયપ્રતિપાદન રા. વામનરાવના પુસ્તકમાં આવેલું છે. વળી કોલેજમાં વિષય શીખવવામાં જે વિવેચનપદ્ધતિ સ્વીકારવામાં આવે છે, તે જ વિવેચનપદ્ધતિ પોતાના પુસ્તકમાં રા. જોશીએ સ્વીકારેલી છે. આથી મને લાગે છે કે, બી. એ. ના વિદ્યાર્થીને સ્વભાષાધારા નીતિશાસ્ત્રનું જ્ઞાન મેળવવામાં આ પુસ્તક સારું ઉપયોગી થઈ પડશે.
રા. વામનરાવના પુરતકના સામાન્ય સ્વરૂપ તથા તે વિષે મારા થયેલા અનુકૂળ અભિપ્રાયનું દિગ્દર્શન કર્યું. હવે એ પુસ્તક પરથી સૂઝતા અને એ જ પુસ્તકના યોગથી જેને સંતપકારક નિર્ણય આવી શકે છે તેવા એક વાદગ્રસ્ત પ્રશ્નને વિચાર અહીં કરવામાં આવશે તો કાંઈ ખોટું થશે નહિ. આ વાદગ્રસ્ત પ્રશ્ન એ છે કે, આપણાં ભિન્ન ભિન્ન શાસ્ત્રોની પ્રગતિ કેવી રીતે અને ક્યાં સુધી થયેલી હતી; વિશેષતઃ આપણે ત્યાં નીતિશાસ્ત્રનો કેટલે સુધી વિચાર થયેલો છે? આ સંબંધી કદી કદી પરસ્પર વિરોધી મત સાંભળવામાં આવે છે. એકમત આ છેઃ “આપણે ત્યાં નીતિશાસ્ત્ર બિલકુલ નથી. એ શાસ્ત્રનો ઉદય અને વિસ્તાર યુરોપમાં જ થયો છે. આપણી નીતિ વિષેની કલ્પના “વતિર્મબન્યો ધર્મ નિષિદ્ધનન્યોsધર્મ એટલી જ છે. અહીં નીતિ વિષેના પ્રશ્નને વિચારની કસોટીએ ચઢાવવામાં આવ્યા જ નથી. ધર્મગ્રંથમાં વિહિત હોય તે સારું અને નિષિદ્ધ હોય તે ખરાબ. અર્થાત આ કલ્પના શાસ્ત્ર રચાતા પૂર્વેના સમાજની બાલ્યાવસ્થા દર્શાવે છે. એટલે આપણે ત્યાં નીતિ વિષયક કલ્પનાને શાસ્ત્રીય દષ્ટિએ વિચાર થયેલો નથી અને તેથી જ આપણે ત્યાં નીતિશાસ્ત્ર નથી એમ કહીશું તે ચાલશે.” બીજે મત કહે છે કે, “આપણે ત્યાં નીતિશાસ્ત્ર શિખરે પહોંચેલું છે. આપણું નીતિશાસ્ત્રને જેટલે ઊંડે અને મૂળ તત્ત્વને પહોંચતા વિચાર થયો છે તેટલો યુરોપમાં બિલકુલ થયું નથી. યુરેપનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org