________________
કાર્યાકાય ઠરાવવાની કટી ફિલ્મ પર લેવામાં આવેલા ફેટા પરથી પડદા પર પ્રતિબિંબિત થયેલાં હોય છે. પડદા પર કોઈ ક્રિયા દર્શાવવાની હોય છે તે (ધારે કે માણસની ચલનક્રિયા) પાંચ પાંચ કિંવા દસદસ ક્ષણે તેના અવયવની જે ભિન્ન ભિન્ન સિથત થાય છે તેને ફેટ ફીમ પર લેવો પડે છે. મારા બે હાથ દૂર જાય છે, તેટલું બતાવવા માટે એક મિનિટમાં તે ચલનક્રિયામાંના ભિન્ન ભિન્ન પ્રસંગના ચાલીસ પચાસ ડેટા લેવા પડે છે. એ ફોટો લેવાયેલી ફીલ્મ સપાટાબંધ ફેરવવામાં આવે છે એટલે તે સ્થિર ચિત્રમાંથી પડદાપર હાલતાં ચાલતાં ચિત્ર આપણી દષ્ટિએ પડે છે. અંધારામાં પલીતો અખલિત હલાવ્યા કરીએ છીએ તો એક લાલ વર્તુળ આપણને જણાય છે તેવી જ રીતે આ ભ્રમ ઉત્પન થાય છે. પલીતે કોઈ પણ ક્ષણે એક જ બિંદુની સ્થિતિમાં હોય છે, પણ તે બિંદુની સ્થિતિમાં રહેલા અગ્નિકણનું ચિત્ર પલીતા દ્વારા ત્યાંથી હાલે છે તે પણ અરધી ક્ષણ ટકે છે. એ અરધી ક્ષણમાં તે એક ફેર મારીને પુનઃ તે જ બિંદુના સ્થળે પાછું આવે છે તેથી વર્તુળચિત્ર એક જ સ્થાને છે એમ લાગે છે. પ્રત્યેક બિંદુની એવી જ સ્થિતિ હોવાથી પલીતે ફેરવવાથી એક સરખાં પ્રકાશિત ચક્ર ઉત્પન્ન થાય છે. સિનેમાને એ જ તવ લાગુ પડે છે. ધારે કે, ફીલ્મ પરનું એક ચિત્ર આપણી દષ્ટિ સન્મુખ છે. તે ત્યાંથી ખસે છે તો પણ તેની પ્રતિમા આપણી નજર સમક્ષ ક્ષણ કે અરધી ક્ષણ ટકી રહે છે. એટલામાં ફીમ પર બીજું ચિત્ર આવે છે. એવી રીતે એક પછી એક સપાટાબંધ ચિત્રો આવતાં જતાં હોવાથી જો કે ફીલ્મ પરનું પ્રત્યેક ચિત્ર કોઈ પણ એક ક્ષણની વિશિષ્ટ સ્થિતિનું દ્યોતક હોય છે તો પણ અનુક્રમે અને ઝપાટાબંધ ફર્યા કરવાથી આપણને ગતિને ભ્રમ થાય છે.
સિનેમાનું તત્ત્વ કહેવાનું કારણ એટલું જ છે કે, બર્ગસને પિતાનું કથન સ્પષ્ટ કરવા માટે પોતાના એ પ્રિય દષ્ટાંતને અનેક વખત ઉપયોગ કર્યો છે. તે કહે છે કે, તર્ક (Intellect) કઈ પણ ક્ષણે વસ્તુસ્થિતિનું એક અંગ જુએ છે. તે ક્ષણે વસ્તુની જે સ્થિતિ હોય છે તેને તે ફોટો લે છે. કોઈ પણ પ્રસંગે લીધેલ ફેટ તે વખતની સ્થિતિ દર્શાવી શકશે; તેમાં ખરું હાલતું ચાલતું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org