________________
૨૦૬
નીતિશાસ્ત્રપ્રવેશ શોધી કાઢવાનું છે. ઓરડીમાં પ્રવેશ થતાંની સાથે જ તર્ક એકદમ ખીંટી, પાકીટ, જાજમ વગેરે ભેદ ઉપસ્થિત કરે છે. એ સર્વનું જ્ઞાન એ જ ઓરડીનું જ્ઞાન છે એમ કહીએ તો એ વાત એક વખત બરાબર છે એમ કહી શકાશે, પણ કેટલીક વાતો એવા હોય છે કે, તેનું પૃથક્કરણ કરી ટુકડા કર્યા પછી તે ટુકડાના સમૂહને તે વસ્તુની યોગ્યતા પ્રાપ્ત થતી નથી અને તે ટુકડાનું જ્ઞાન એટલે વસ્તુનું જ્ઞાન એમ કહેવું એ ગાંડપણ ગણાય છે. દાખલા તરીકે, એક શસ્ત્રવેદ્ય શરીરના ટુકડેટુકડા કરી તેના પ્રત્યેક પરમાણુનું રસાયનશાસ્ત્રની દૃષ્ટિએ જ્ઞાન મેળવે તે તેના એ જ્ઞાનભંડારને જીવંત શરીરનું યથાર્થ જ્ઞાન કહી શકાશે કે? બીજું ઉદાહરણ જુઓ : એક કાવ્યના પ્રત્યેક શબ્દને અર્થ શબ્દકોશમાંથી મેળવી તેનો પાઠ કરી લેવામાં આવે, તે શબ્દમાં મૂળ ધાતુ કયો છે, તેનું રૂપાંતર કેમ થયું વગેરે વ્યાકરણવિષયક જ્ઞાન સંપાદન કરવામાં આવે તેપણ કાવ્યના વાચનથી રસિકને જે કંઈ અનિર્વચનીય સુખ થશે તે પેલા કેશપ્રિય માણસને થશે નહિ. કાવ્યને અર્થ અમુક એક શબ્દમાં કે વાક્યમાં પણ હેત નથી; તેના વાંચન પછી મનમાં જે કંઈ વિશિષ્ટ અને અવર્ણનીય ભાવના ઉત્પન્ન થાય છે તે વ્યાકરણશાસ્ત્રીય કે અલંકારશાસ્ત્રીય પૃથકકરણથી ઘણી વખત નષ્ટ થાય છે. પુષ્પના ટુકડેટુકડા કરવાથી જેમ તેને સુવાસ નષ્ટ થાય છે તેમજ જ્ઞાનનું છે. તક પૃથક્કરણ કરવામાં કુશળ છે, પણ તે એ ગુણથી, સત્ય જ્ઞાનથી છૂટો રહે છે. જેમ શરીર અનેક અવયવથી યુક્ત હોઈ “એક” છે તેમજ સર્વ વિશ્વનું જ્ઞાન – સત્યજ્ઞાન – બ્રહ્મજ્ઞાન – એક છે, અતાત્મક છે. પણ તકે નામરૂપાદિ ભેદ દર્શાવી એ અદ્વૈતના ટુકડેટુકડા કયો છે અને તેને લાગે છે કે, બને તેટલા ટુકડા કરી એ ટુકડાના જ્ઞાનનો સરવાળો કરવામાં આવશે એટલે સત્ય જ્ઞાન કિંવા બ્રહ્મજ્ઞાન થશે. પણ બર્ગસન કહે છે કે, એવી રીતે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થવાનો સંભવ નથી.
બર્ગસનના લેખમાં સિનેમાની ઉપમા વારંવાર આવે છે. સિનેમામાં જે હાલતાં ચાલતાં ચિત્ર બતાવવામાં આવે છે તે એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org