________________
કાર્યકાર્ય કરાવવાની કસોટી
૨૦૫ અાપણામાં હાથી અને આંધળાનું દષ્ટાંત પ્રસિદ્ધ જ છે. હાથીના પગ પકડનારને સ્તંભનું જ્ઞાન થયું અને કાન પકડનારને સપડાનું થયું, પણ ખરા હાથી અને સ્તંભ કિંવા સૂપડામાં કંઈ પણ સામ્યતા નથી. આંધળાનું જ્ઞાન એકાંગી જ નહિ પણ વિપરીત હતું.
એક ચિતારાએ એક વિશાળ પટ પર એક સરોવર અને તેમાં કમલ, હંસ વગેરે સુંદર ચિત્ર તૈયાર કર્યા. તેમાં સરોવર પરથી કાળાં વાદળાં ચાલી જતાં ચીતર્યા હતાં. તે ચિત્રપટ જમીન પર પનારી રાખ્યું હતું અને તેના મધ્યવર્તી ચિત્ર પર આચ્છાદન
ખેલું હતું તે વખતે એક જડ માણસ ત્યાં આવ્યો. તેને નજરે ફકત વાદળાંનો દેખાવ પડ્યો અને તેને અર્થ કંઈ સમયે નહિ તેથી તે એકદમ બેલી કોઠો : અરે, આ કાળો રંગ કોણે રેડડ્યો છે ? આ ઉપદ્રવ કેણે કર્યો છે? – અર્થાત્ આખું ચિત્ર દષ્ટિ આગળ નહિ હોવાથી સુંદર વાદળાં પણ તેને સુંદર લાગ્યું નહિ; ઊલટું, તે સુંદર પટ પર કેઈએ રંગ ઢળ્યા જેવું લાગ્યું !
બીજી એક એવી જ વાત છે.
ધારો કે એક યુવતીના કલાદેશ પર ઝીણો તલ છે અને ક કે તેથી તેના સૌન્દર્યને ક્ષતિ ન પહોંચતાં તેમાં ઓર વધારે થાય છે, અને તેની સાથે માને કે એક નાને સૂક્ષ્મ જંતુ – સૂક્ષ્મદર્શક યંત્રમાંથી દેખાય ન દેખાય એટલે સૂકમ જંતુ – તે કલતિલકના સ્થાને બેઠે છે અને તેનામાં વિચાર કરવાની શક્તિ છે. એ સૂમ જતુની અલ્પતમ દષ્ટિને એવું નહિ લાગે કે, એ યુવતીનું મુખ તલ જેવું કાળું છે? અને દાત્ બદષ્ટસિદ્ધિ: દષ્ટ વસ્તુ પરથી અદષ્ટ વસ્તુનું અનુમાન કરવું’-એ ન્યાયે યુવતીનું સર્વ મુખ કાળું છે એમ તે કહે તેમાં બેટું શું છે?
આ દષ્ટાતે ધ્યાનમાં લેવામાં આવશે તે બર્ગસનના કથનનું તાત્પર્ય સમજાશે. તે કહે છે કે, તર્ક દ્વારા પૂર્ણ સત્યનું જ્ઞાન થવાનો સંભવ નથી, કેમકે જેમ આપણું ચક્ષુ એકી સાથે ઘરની ચારે બાજુ જઈ શકતાં નથી તેમજ આપણે તર્ક વિશ્વના સર્વ અંગનું જ્ઞાન એકદમ પ્રાપ્ત કરી શકતું નથી. તર્કનું કામ જ પ્રથમ તે વસ્તુ વસ્તુ વચ્ચેને દિશાભેદ, કાલભેદ, રૂપભેદ, વગેરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org