________________
२०४
નીતિશાસ્ત્ર પ્રવેશ આત્માનું એક ઉપરનું પડ છે. ખરે આત્મા અતિ ઊંડે અને વ્યાપક છે. આપણી વિવેચક બુદ્ધિને જે જ્ઞાન અગમ્ય હોય છે તે આપણું આત્માને અતીન્દ્રિય રીતે સમજાય છે એવું દર્શાવી આપનાર અનેક પ્રસંગ માનસશાસ્ત્ર સંશોધક મંડળના દફતરમાં છે. કોઈને થયેલો અકસ્માત દૂર રહેલા આત વર્ગની જાણમાં આવે, માતાપિતાના મરણની હકીકત સ્વપ્નમાં મળવી, અન્યના મનના વિચાર અતીક્રિય રીતે જ્ઞાત થવા (Telepathy), મેહનવિદ્યાથી (હીપ્નોટીઝમ તથા મેસરીઝમ) કિંવા શ્રદ્ધાબેલ અથવા છાશકિતથી રોગ દૂર કરવા, (Mental healing કિંવા Christian science) એ અને એવા જ પ્રકારની વાતોને વિચાર કરતાં આત્મા એટલે હું તું કે “હા-ના બેલનાર, ઈકિય દ્વારા જ્ઞાન મેળવનાર અને ઉપભોગ કરનાર એ વિવેક કિંવા તક ( Reason ) નહિ; પણ તેથી ઊંડે, વ્યાપક, ઇંદ્રિયને અગોચર એવી રીતે જ્ઞાન મેળવી શકનાર, પિતાના પર જ નહિ પણ દૂર રહેલ મનુષ્યની ઈદ્રિયો પર પરંપરાથી વિલક્ષણ સત્તા ધરાવનાર, પશુમાં અને જડ વસ્તુમાં પણ રહેલી કોઈ એક વિલક્ષણ શકિત છે એમ લાગે છે.
આ વિચારને બગસન વગેરે આધુનિક તત્ત્વવેત્તાઓને ટેકે છે. બર્ગસન ફ્રેંચ છે અને હાલમાં પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનીઓમાં તેનું ભારે માને છે. તેના વિચાર અદૈત–વેદાંત સાથે કંઈક અંશે મળતા આવે છે. તે કહે છે કે, આપણી બુદ્ધિ કિંવા તર્ક (Intellect) એ જ એક જ્ઞાનનું તત્ત્વ છે એમ નથી. ઉત્તમ જીનિયર પણ ન બનાવી શકે તેવા પ્રકારના મધપૂડા માખીઓ તૈયાર કરે છે છતાં શું તે ઘટપટાદિ તાર્કિક ખટપટ કરી શકે છે? અંતઃસ્કૃતિ એ (Intuition) એક તક જેટલું જ મહત્ત્વનું જ્ઞાન સાધન છે; એટલું જ નહિ પણ તર્કથી અધિક યોગ્યતાનું અને સત્યદક્ષી છે. તર્કબુદ્ધિ ખરી અને પૂર્ણ વસ્તુસ્થિતિ દર્શાવતી નથી, એટલું જ નહિ પણ તે દર્શાવી શક્તી પણ નથી. કારણ. જે પૂર્ણ સત્ય છે તેનું પૃથક્કરણ કરી તેમાંના એકાદ અંશને નામરૂપાદિ ગુણ દ્વારા વિશિષ્ટવ આપી તેનું જ્ઞાન આપણને તર્ક કરી આપે છે. એ જ્ઞાન એકાંગી હેય છે જ પણ એકાંગીપણાથી તે પુષ્કળ વખત વિપરીત પણ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org