________________
૨૦૨
નીતિશાસ્ત્રપ્રવેશ જોઈ શકતાં નથી તે જ પ્રમાણે આત્મા તરફ જોઈ તેનું વર્ણન કરવાનું કાર્ય અશક્ય છે. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યા પ્રમાણે –
येनेदं सर्व विजानाति तं केन विजानीयात् ।
विज्ञातारमरे केन विजानीयात् । આત્માનું વર્ણન જે થઈ શકે તેમ હોય તે થોડું ઘણું ‘નેતિ નેતિ” શબ્દથી જ થઈ શકે તેમ છે. આત્મજ્ઞાન અનુભવજન્ય છે, તે હાથે ઊંચકીને અન્યને આપી શકાય તેવી કે વર્ણન થાય તેવી વસ્તુ નથી; કારણકે, આપણી બુદ્ધિ જે કંઈ વર્ણન કરે છે તેમાં “હું” અને “મારા વિનાનું ભિન્ન રહેલું કંઈ પણ' એ ભેદ ગર્ભિત હોય છે; પણ ખરો આત્મા (તેને પર મામા કહે, બ્રહ્મ કહો, ગમે તે કહે) એ ભેદથી પર છે. બ્રાહ્મી સ્થિતિમાં અહંભાવ સુધ્ધાં રહેતો નથી. તે સ્થિતિમાં એટલે અનુપમ આનંદ થાય છે કે તેના આગળ સર્વ વિશ્વનું પ્રભુત્વ તુ લાગે છે. આ બ્રાહ્મી સ્થિતિ કેવળ કવિક૯પના છે, એમ માનવાને કારણ નથી. ઉપનિષદનાં વાક્ય અનુભવના જણાય છે. ઋષિાને પુસ્તક લખી નામ કે ધન મેળવવું નહોતું. વળી તેમની ભાષા એટલી જીવંત અને જોરદાર છે કે, તે ઢંગથી લખાયેલાં છે એમ કહેવું તે વાયામક સિકતાને રુચતું નથી. સામાન્યતઃ આપણે સમજી શકીએ છીએ કે, ગમે તે પુસ્તકમાં લખાયેલા વિચારમાં અંતઃકરણપૂર્વકના ક્યા છે અને કૃત્રિમ ક્યા છે. આપણું કહેવું યુક્તિવાદથી સિદ્ધ કરી બતાવી શકાશે નહિ; પણ થતી હૃદયના ઊંડા પ્રદેશમાંથી ક્યારે બેલે છે અને એમાંથી કયારે બેલે છે એ કેટલીક વખત આપણને સમજાય છે; કિવા એન લું તે નકકી છે કે સમજાય છે એવું લાગે છે. આપણા અંતઃકરણની અને રસિકતાની કસોટી પર ઉપનિષદને કસો એમ કહ્યા સિવાય રહેવાતું નથી કે એ વામય કૃત્રિમ નથી; તેમાં સ્વાનુભવ ભરેલે છે. બ્રાહ્મી સ્થિતિ અશકય હોવાનું કહેવું એ સાહસ છે એમ સિદ્ધ કરી આપનાર બીજો પુષ્કળ પુરાવો છે. આ પણને લાગે છે કે, “અહંભાવ” ન હોય તો આત્મા સુષુપ્તિ (કિવા બેભાન સ્થિતિમાં –- કેફમાં), જોઈએ કિંવા મૃત્યુ પામેલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org