________________
કાર્યકાર્ય કરાવવાની કસેટી
૨૦૧ ફળના આશ્રયે નહિ. આધિદૈવતવાદીઓએ કેવળ બુદ્ધિનો વિચાર કર્યો છે, સારી બુદ્ધિ રાખી કયું ફળ પ્રાપ્ત કરવાનું છે તે તરફ દુર્લક્ષ કર્યું છે તેથી તે એકાંગી ઠર્યા છે, ત્યારે સુખવાદીઓએ કેવળ ફળને જ વિચાર કર્યો છે, બુદ્ધિ તરફ જોઈએ તેટલું લક્ષ આપ્યું નથી તેથી તે એકાંગી ઠર્યા છે. બે સુખમાંનું કયું ઉચ્ચતર તે ઠરાવવા છેવટે મીલને સુસંસ્કૃત બુદ્ધિની સાક્ષી લેવી પડી અને સુખવાદની • કેવળ બહારના જ ફળ પર વિચાર ચલાવવાની પ્રતિજ્ઞા તેડવી પડી. સુખવાદ જ્યારે ગ્રામ્ય આત્મા અને સુસંસ્કૃત આત્મા વચ્ચે ભેદ સ્થાપવા લાગ્યો ત્યારે તેની દૃષ્ટિ બહિર્મુખ હતી તે અંતર્મુખ બની અને તે અધ્યાત્મ માગે વહેવા લાગે એમ કહેવાનો હરકત નથી. સ્પેન્સરને અધિક સુખ ઇચ્છનાર આમા અને દૂર દૂરનું સુખ ઈચ્છનાર આત્મા કિંવા આનુવંશિક સંસ્કારથી સામાજિક સુખ ઇચ્છનાર આત્મા. એવો ભેદ કરવો પડ્યો છે. કિલફડે જાતિસામાન્ય આત્મા અને વ્યક્તિવિશિષ્ટ આત્મા એવો ભેદ કલ્પી અધ્યાત્મની જ દિશા સ્વીકારી છે. કેટને નિરુપાધિક આત્મવાદ આરંભથી જ બાહ્ય ફળના વિચાર વિરુદ્ધ અને આત્મવિચારને અનુકૂલ છે; પણ તેની આત્મવિષયક કલ્પના સર્વને પસંદ પડે તેવી નથી. વાસના નામે માત્ર ખરાબ, આત્માના ઊંડા અને પવિત્ર અંતગૃહમાં સર્વાસનાનો પણ પ્રવેશ થતો નથી, તેણે સદા બહાર આંગણામાં જ રહેવું જોઈએ, એવા પ્રકારની કંટની આત્મસ્વરૂપ વિષયક કલ્પના હતી તે સર્વેને ગમે તેવી નથી એમ કહ્યું છે જ. આથી મેંટના અભિપ્રાયના પરીક્ષણને પ્રવાહ પણ ઉક્ત સર્વ પ્રવાહની માફક આપણને અધ્યાત્મ સ્વરૂપી સાગર તરફ લઈ જાય છે.
આત્મવરૂપ આત્માનું સત્ય સ્વરૂપ કોણ કથે તેમ છે? આપણું વેદાંત કહે છે, આત્મજ્ઞાન વર્ણનાતીત છે. આત્મા અન્ય વસ્તુને જુએ છે, પણ એ જોનારને જોનારે કણ અને કેવી રીતે જોશે? આપણી મૂઠ આપણી પોતાની મૂઠમાં ધારણ કરી શકાતી નથી, પિતાની ખધિ પર પિતે બેસી શકાતું નથી કિંવા ચક્ષુ પિતા તરફ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org