________________
૧૯૯
કાર્યકાર્ય કરાવવાની કટી મગજ, નારંગી અને તેના રસમાં એક રીતે જેવું ઢંત છે અને એક રીતે તાદામ્ય છે તેવી જ રીતે આત્મા અને સવાસનામાં છે. શરીરના મગજના છૂ દેહૂદા ઊડી જાય તે શરીરનું શરીર રહે કે? નારંગને રસ નષ્ટ થાય તે નારંગીવ રહે કે? એ જ પ્રમાણે આત્મામાંથી સવાસના કાઢી નાખવામાં આવે કિંવા તેને કુવાસનાનું સ્વરૂપ પ્રાપ્ત થાય તો આત્માનું સ્વરૂપ કાયમ રહે કે? આ દૃષ્ટિએ આત્મા અને સવાસનામાં અદ્વૈત છે. દૈત કે વેર હોય તે અસદ્દવાસના સાથે વાસનાનું શુદ્ધત્વ, નિત્ય અસંતુષ્ટવ અથવા અનુશાખ્યત્વ વગેરે જોઈ તેને કંટાળો આવે કિંવા વૈરાગ્ય થાય તો તે સ્વાભાવિક છે. સુસંસ્કૃત માણસને ઈદ્રિયપૂજનમાં સાફલ્ય દષ્ટિએ પડવું સંભવિત નથી. તેને કંઈ પણ શુદ્ધતર, ઉચ્ચતર, ઉદાત્તતરની જરૂર હોય છે. તેને સ્વાર્થની છાયાથી બને તેટલે દૂર રહેવાની ઈચ્છા હોય છે અને તેથી “સ્વને વીસરી કેવળ ઉદારબુદ્ધિ અને નીતિપ્રેમથી જે આચાર થાય તે જ શ્રેયસ્કર હોવાનો ઉપદેશ તેને ઉત્સાહજનક અને સ્કૂતિદાયક લાગે છે. પણ એ ઉપદેશનું તાંત્રિક પૃથક્કરણ કરવાનું પાપ સ્વીકારીએ છીએ (કારણ એવું પૃથક્કરણ કરવું તે નીતિ કિંવા રસિકતાની દષ્ટિએ આનંદદાયક કામ નથી) તો એ વાસનાલયામક ઉપદેશ નિર્દોષ નથી જણાતે.
(કેટલાક વેદાં કહે છે કે, કોઈ પણ પ્રકારને વિચાર નથી, કઈ પણ જાતની વાસના નથી, સ્વ-પર ભેદ નથી, અહંભાવ નથી, એવા પ્રકારની આત્માની એક સ્થિતિ છે અને તે જ સર્વોત્તમ અને શાંતિદાતા છે. આધુનિક યુરોપિયને તત્ત્વવેત્તા પણ કહેવા લાગ્યા છે કે, અહંભાવવિશિષ્ટ પ્રજ્ઞા, સવાસના વગેરે આમારૂપી સરેવરનાં માજા છે, આત્મા અતિ ઊંડે અને તકતીત છે, પ્રજ્ઞાબલથી ( intellect) આત્મસ્વરૂપ સમજાતું નથી, તે તે વિશિષ્ટ અંતઃસ્કૂર્તિથી” (Intuition) સમજાય છે; પ્રજ્ઞા કિંવા તર્કની કપટ વિશિષ્ટ મર્યાદા સુધી જ હોય છે. હવે આ પ્રશ્નનો વિચાર કરવાનો સમય આવ્યો છે, પણ તે પહેલાં આપણી ચર્ચાના પ્રવાહે આપણને એ ક્ષેત્રમાં કેવી રીતે લાવી મૂક્યા છે, તેનું એક વખત સિંહાવલોકન દ્વારા સ્મરણ કરી લેવું ઠીક થશે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org