________________
નીતિશાસ્ત્રપ્રવેશ એક સળીયે અહીંથી તહીં નહિ ખસી શકે, “વાસના ખરાબ, વાસના ખરાબ,’ એમ કહી સારી કે નરસી વાસનામાત્રને હૃદયમાંથી હડસેલી કાઢવામાં આવે તે માણસ નિષ્ક્રિય બને અને તરત જ મરણ શરણને થાય.
કાઈ પણ એમ નહિ કહે કે, આ આપત્તિ ઈષ્ટ છે. ત્યારે વાસનાલયવાદમાં કોઈ પણ સ્થળે ભૂલ થતી હોવી જોઈએ. એ ચૂક કંઈ પણ ભેદ રાખ્યા સિવાય સઘળો વાસનાને ત્યાજ્ય કેટીમાં મૂકવાથી થયેલી છે. હવામાં વંટોળિયો વગેરે થાય છે તેથી જે પક્ષી કહે કે “હવા જ ન જે એક કિવા પાણીમાં તોફાન થાય છે માટે “અમેને પાણી જ ન જોઈએ” એમ માછલાં કહે તે તેમનું કહેવું જેટલું ડહાપણનું ગણાય તેટલું જ વામિનાક્ષયવાદી લેકનું કથન ડલા પણભર્યું મનાય વાળયા કે પાણુના તોફાનથી પક્ષી મલ્યને હાનિ થતી ન હોય એમ કહેવાય નહિ, પણ હવા કેવા પાણીને અત્યંત અભાવ હોય તે તેમનું અસ્તિત્વ જ બંધ પડે. જીવન માટે એ પદાર્થને આવશ્યકતા છે; એટલું જ નહિ પણ તે ઉન્નતિને સહાયક છે. પક્ષીને ઊંચે ઊડી જવા હવાની જરૂર છે, તે જ પ્રમાણે માણસને આત્મોન્નતિ મેળવવાને વાસનાની અપેક્ષા છે. માત્ર વાસના શુદ્ધ અને સાત્વિક હોવી જોઈએ. શુદ્ધ હવા અને પાણી જેમ શારીરિક સ્વાથ્ય અને પોષણને સારુ જરૂરનાં છે, તેમ શુદ્ધ અને સાત્વિક વાસના આત્મિક જીવન અને ઉન્નતિને જરૂરનાં છે.
કોઈ માણસ કાવ્યમાં કહે કિંવા વ્યાખ્યાનના આવેશમાં વિદે કે “વાસનાને નિળ કરવી અને કેવળ નીત સિવાય અન્ય કોઈ પણ વાતને હૃદયમાં સ્થાન ન આપવું, તો તેમાં આક્ષે પાઉં એવું કંઈ નથી; પણ કૂતરાં અને બિલાડાંને જે અણબનાવ હોય છે તે આત્મા અને વાસનાને નથી એટલું ધ્યાનમાં રાખવું. અણબનાવ છે, પણ તે અસદ્ધાસના રામને શુદ્ધ આત્મા વચ્ચે છે, સવાસના આત્માને પ્રિય છે, એટલું જ નહિ પણ તેને પ્રિય છે માટે જ તે સવાસનાને ‘સવ’ પ્રાપ્ત થાય છે. સર્વાસના અને આત્મા વચ્ચે વેર નથી, એટલું જ નહિ પણ એક અર્થમાં એમ પણ કહેવાનો હરકત નથી કે દંત સુધ્ધાં નથી. શરીર અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org