________________
કાર્યકાર્ય કરાવવાની કસોટી
૧૯૭ વિવિધ કામે પભોગ લીધાથી કામની શાંતિ થતી નથી; ઊલટું વત વગેરેની આહુતિથી જેમ અગ્નિ અધિક જ ભપકે છે, તેમ કાપભોગરૂપી આહુતિથી કામ અધિક પ્રબળ બને છે. બને તેટલો વાસનાક્ષય કરવાના ઉપદેશનો મર્મ એ જ છે; પરંતુ પ્રત્યેક વાતને મર્યાદા હોય છે જે વાસનાક્ષયનો જો કોઈ એવે અર્થ કરે કે, મનમાં સવાસના પણ ન હોવી જોઈએ, તે કહેવું જોઈએ કે, એ ઉપદેશના અભિપ્રાય કરતાં શબ્દને જ અધિક મહત્તા આપવામાં આવે છે. કેટ કહે છે કે, કાર્ય નીતિ તરીકે કરવું પણ ફળપ્રાપ્તિની આશા રાખવી નહિ. આ તત્ત્વને એ અર્થ કરવામાં આવે છે, હૃદયમાં કોઈ પણ હેતુને – અસહેતુને કે સહેતુને – પવન વાય એટલે હૃદય અસ્પૃશ્ય બન્યું સમજવું, તે બુદ્ધિપુર સર કરેલા આચરણ કરતાં નિદ્રામાં કિંવા બેભાન સ્થિતિમાં કરેલું કર્મ અધિક નીતિનું ગણાશે. કોઈ પણ હેતુને હૃદયમાં સ્થાન જ આપવું નહિ એમ કહીએ તે, “અમુક કર અને અમુક ન કરીશ” એવી વિધિનિષેધાત્મક ભાષા જ બંધ થાય અને અહલ્યાની માફક શલ્યા થઈ પડવું એ જ મનુષ્યનું શ્રેષ્ઠ ધ્યેય થઈ પડે ! માણસ નિદ્રા કે બેભાન અવસ્થામાં નથી હોતે તે વખતે તે જે કંઈ કર્મ કરે છે, તે કંઈ પણ ઇષ્ટ વાત મનમાં યોજાને તે સાધવા માટે કરે છે. પ્રચંગનમનુચ ને મરોડપ પ્રવર્તતે – મંદ માણસ પણ મનમાં કંઈ પણ યોજ્યા સિવાય કર્મ કરતું નથી એવી જ્યારે સ્થિતિ છે, ત્યારે “નીતિ ખાતર નીતિ આચરવી, તેમાં કાંઈ પણ હેતુ ન હૈ જોઈએ” એ તત્ત્વ પરથી શે બેધ લેવો? હેતુનો અત્યંતભાવ ક૯યા વિના બુદ્ધિપુર:સર પ્રવૃત્તિ જ અશક્ય બને છે. મને કેવળ નીતિ પૂજ્ય છે, કેવળ નીતિ પૂજ્ય છે, કેવળ નીતિ પૂજ્ય છે.' એ મંત્રને ગમે તેટલે જપ કરવામાં આવે પણ નીતિ સિવાય કઈ પણ અન્ય વિશિષ્ટ હેતુ મનમાં ધાયો વગર, હાથ, પગ, ચક્ષુ કે અન્ય કઈ પણ ઈદ્રિયને ચલન પ્રાપ્ત થવું શક્ય નથી. હું હાથ કયારે હલાવીશ ? કંઈ લેવાની, ફેંકવાની, ધકેલવાની કે એવી જ અન્ય કંઈપણ ઈચ્છા હશે ત્યારે. સર્વ હેતુનો બહિષ્કાર કર્યા પછી મને કેવળ નીતિની જરૂર છે' એ પિકળ ભાવનાથી મારા હાથે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org