SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્યકાર્ય કરાવવાની કસોટી ૧૯૫ છે તે પણ યથાર્થ છે. સ્થિતપ્રજ્ઞના મનમાં કુવાસના નથી હોતી, તે પોતાના શારીરિક કે અન્ય સુખ તરફ બિલકુલ જેત નથી, તેને પોતાનું એવું લેશમાત્ર કાર્ય હેતું નથી, તે સુખદુઃખ, લાભ અલાભ વગેરે કંદને ઓળંગી ગયેલ હોય છે; એ સર્વને અર્થ એ નથી કે, સ્થિતપ્રજ્ઞ કઈ પણ હેતુ રાખ્યા વિના જગલી નવરની માફક ભટકતે કે નાસતો ફરે છે. બુદ્ધિપુર:સર કાર્ય કરવાનું એટલે તે સહેતુક જ હોવું જોઈએ. પરંતુ સ્થિતપ્રજ્ઞને હેતુ સાત્વિક હોય છે, તેનામાં સ્વસુખનો અંશ હોતે નથી, ઉપરાંત, કર્મફળ મળવું જ જોઈએ એ તેને આગ્રહ નથી હોતો. તે જાણ હોય છે કે, કર્મનું ફળ પ્રાપ્ત થવું ન થવું એ પિતાના એકલાના હાથની વાત નથી માટે વિજય મળતાં પિતાની કતૃત્વશક્તિ વિષે તે ફૂલાઈ બણગાં ફૂંકત નથી અને અપયશ મળતાં શેક કરતા નથી. સ્થિતપ્રજ્ઞ કર્મફળ માટે અનામત હોય છે અને યશપયશનો ભાર લેવાની પંચાતમાં પડતો નથી માટે તેને નિષ્કામ કહેવાને છે. જે સ્થિતપ્રજ્ઞ થયો છે તે જે કંઈ કરશે તે પૂર્ણ વિચાર કરીને અને ઈદ્રિયના મોહને ભોગ બન્યા વિના કરશે. તેને ઇકિયસુખની નહિ પણ આત્મપ્રસાદની જરૂર હોય છે. પરંતુ એને અર્થ એ નથી કે, તે પિતાનું શરીર કાપી નાખે છે કે બાળી દે છે. તે ઇકિયને વશ થવાને બદલે તેને સ્વાધીનમાં રાખે છે. ઇકિયલાલસાનું રક્ષણ કરવાને ઉપદેશ કરવા કરતાં ઈદ્રિયને મારવાને ઉપદેશ કરે એ કદાચિત વ્યાવહારિક દૃષ્ટિએ ઠીક હશે. કારણ, ઈદ્રિયને માર મારવાનું કહેવામાં આવે તે સર્વ લેક મુંડન કરાવી સંન્યસ્ત ધારણ કરશે એ ભય રાખવાનું કારણ નથી; પણ અનધિકારીઓને કહેવામાં આવે કે, ઇકિયપૂજન કરવામાં કંઈ નાનમ કે પાપ નથી તે તેનું ખરાબ પરિણામ આવવાને સંભવ છે. આ દષ્ટિએ બને તેટલે વાસનાક્ષય કરવો એ ઉપદેશ ઉપયોગી છે; પણ તાવિક દષ્ટિએ આપણે નૈતિક પ્રશ્નને વિચાર કરીએ છીએ તેમાં ‘પૂર્ણ વાસનાક્ષય થવો ઈષ્ટ કિવા શક્ય છે કે શું? આત્મા અને વાસનાનો કદી મેળ પડે તેમ નથી કે શું?” વગેરે વાતને ખુલાસો કરવાની આવશ્યકતા છે. કારણ આપણા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy