________________
૧૯૦
નીતિશાસ્ત્ર પ્રવેશ હાર બેહજાર દંડ ભર ન હોય કે તુંરંગમાં ન જવું હોય તે એ કાર્ય ન કરીશ. એ સંબંધમાં તે માણસ જે કહે કે “કાયદાએ શી શિક્ષા ઠરાવી છે તે હું જાણું છું અને હું તે શિક્ષા મેળવવા તૈયાર છું.” તે કાયદે આગળ કંઈ જ કહી શકશે નહિ. તેની ભાષા એવી હોય છે કે, જે તને અમુકની જરૂર હોય તો અમુક કર. નીતિનિયમમાં “જે તે” ને સ્થાન નથી. નીતિની વાણી નિશ્ચિત, વિકલ્પ કિંવા છીંડું ન રાખનારી, સર્વને સર્વદા સમાનપણ લાગુ થનારી હોય છે. નીતિની આજ્ઞાને કેટે Categorical Imperative વિક૯૫હીન, નિરપેક્ષ કિંવા નિરુપાધિક આજ્ઞા કહી છે. બાકીની એટલે કાયદાની કિંવા અન્ય વ્યાવહારિક આજ્ઞા ઉપાધિયુક્ત, સાપેક્ષ, માન્યતા કિંવા અમાન્યતા માટે ઇચ્છા પર અવલંબિત, જે..તે–વાળી અ–સાર્વત્રિક, અનિશ્ચયાત્મક હોય છે. તે આ બીજા પ્રકારની આજ્ઞાને Hypothetical કિંવા (Conditional) Imperative કહે છે.
નીતિનિયમ સુખપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ વગેરે બાહ્ય ફળ કે ઉપાધિના આશ્રયે રહેતા નથી એ કેટની વાત કબૂલ કરીએ, પણ “એવા નિરુપાધિક નીતિનિયમ ક્યા?” એ પ્રશ્ન રહે છે જ. કેટને ઉત્તર એવો છે કે, નીતિનિયમને વ્યાવહારિક ફળ સાથે કંઈ સંબંધ નહિ હોવાથી વિવેકબુદ્ધિ (Reason) વ્યાવહારિક આ ચરણના નિયમ કહેતી નથી. જેમ સંગેમરમરની સુંદર મૂર્તિ કરનાર કુશલ મૂર્તિકાર જેમ સંગેમરમર નિર્માણ કરતા નથી પણ ખાણમાંથી પથ્થર લાવીને તેને વિશિષ્ટ આકાર કિંવા સ્વરૂપ આપે છે, તેમજ નીતિદેવનું ( Reason) છે. તે સદાચારબીજું યંત્ર અથવા નમૂનો બતાવે છે. આચારરૂપી મૂર્તિને પથ્થર ગમે તે પ્રકારનો હો કિંવા ગમે ત્યાંથી આવે; પણ એ મૂર્તિ આગળ જણાવેલા સ્વરૂપની હશે તો જ તેને “સત ' કિંવા સુંદર કહી શકાશે. સદાચારનું મુખ્ય સ્વરૂપ એ છે કે, તેની મૂર્તિ કોઈ પણ સમજુ માણસ ગમે તે પ્રકાશમાં જુએ, ગમે ત્યાં અને ગમે તેવી પરિસ્થિતિમાં તે તેની નજરે પડે; પણ તે તેને સત સુંદર અથવા આદરણીય લાગે છે. અલંકારિક ભાષા છોડીને કહીએ તે, નૈતિક નિયમ અમુક લોકો પાળે તે જ સારા એવું કંઈ નથી હોતું; ગમે તે, ગમે ત્યારે તેનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org