________________
નીતિશાસ્ત્ર પ્રવેશ વિશિષ્ટ મન અને જાતિસામાન્ય મન, એ ભેદ માનવો પડ્યો છે. એનો અર્થ એ છે કે, અધ્યાત્મમાં પ્રવેશ્યા સિવાય નીતિશાસ્ત્રને આધાર નથી. આત્માનું ખરું સ્વરૂપ શું, તેને ખરેખર શેની જરૂર હોય છે, શુદ્ધ, ઉન્નત અને નિર્વિકાર સ્થિતિમાં તેના વિચાર અને આકાંક્ષા શાં હોય છે વગેરે બાબતને આત્મા વિષયક શાસ્ત્રમાં જે ઊહાપોહ થયેલ હોય તે અધ્યાત્મશાસ્ત્ર. બારમા વારે ટૂછવાઃ શ્રોતવ્યઃ મન્તવ્ય નિશ્ચિાલિતવ્ય: એ જ નીતિશાસ્ત્રનું અંતિમ કથન છે. શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરી દરેકે “પોતે કોણ છે” એનો વિચાર કરે અને પિતાને આત્મા જેથી સંતુષ્ટ થાય તે કરવું એવો નીતિશાસ્ત્રને છેવટને નિર્ણય છે. પરોપકાર શા માટે કરવો? ચોરી, વ્યભિચાર વગેરે પાપથી નિવૃત્ત કેમ રહેવું? દુર્જનની સંગતથી દૂર કેમ રહેવું? તે જવાબ એ કે એ માર્ગે જ આપણે ખરો આત્મા એટલે પરમાત્મા સંતુષ્ટ રહે છે માટે!
જીવાત્માને કેટલાંક પાપ પ્રિય હોઈ શકે પણ ખરા અંતરાત્માને – પરમાત્માને તે પ્રિય હોતાં નથી માટે ત્યાજ્ય છે. એ સિવાય અન્ય કોઈ પણ ઉત્તર આપી શકાય તેમ નથી. પરમાત્માનું “પ્રેમ” એ જ “શ્રેય’ એ નીતિશાસ્ત્રને સિદ્ધાંત છે. એ પરમાત્માનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી લેવું, તેનો અને વાસનાને શાશ્વતિક વિરોધ છે કે શું વગેરેનું વિવેચન કો સિવાય આ સિદ્ધાંતની પૂર્ણતા થાય તેમ નથી, પણ એ ઊહાપોહ શરૂ કરતા પૂર્વે બીજા એક બે પ્રશ્નના ખુલાસા કરવાની આવશ્યકતા છે.
નિરાધિક આત્મવાદ આત્માનું ખરું સ્વરૂપ એળ; ઇદ્રિયને વશ થતા નહિ; કારણ વાસનાત્મક આત્માનું સમાધાન થાય છે તેથી હૃદયમાંના ઈશ્વરાંશભૂત આત્માને સંતોષ થાય છે જ એમ કહી શકાય નહિ. એવા પ્રકારની વિચારપ્રવૃત્તિ પ્રબળ થતાં, સર્વ વાસના ખરાબ, વાસનાક્ષય વિના આત્મપ્રાપ્તિ થતી નથી વગેરે પ્રકારના વિચાર ઉત્પન્ન થવાને ઘણે સંભવ હોય છે. આપણી પ્રવૃત્તિ સામાન્ય રીતે સ્વાર્થ સાધવા તરફ હોય છે અને ઈ િમાણસને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org