________________
નીતિશાસ્ત્ર પ્રવેશ વૃદ્ધિ થવાથી તેના મનમાં જતિહિત વિષે ઓછેવત્તો આદર ઉત્પન થયે છે એ સ્પેન્સરનું કથન ઘડી વાર માન્ય કરી જો કોઈ કહે કે, “જેને જાતિહિત સંબંધી આસ્થા હેય તેણે તે જેવું, મને શા માટે આગ્રહ કે જોઈએ?” ત્યારે તેને ઉત્તર વિકાસવાદ આપી શકતા નથી એમ એ આક્ષેપક કહે છે.
માનવજાતિની ઉ ક્રાંતિ કિવા વિકાસ અમુક માગે થશે આવ્યા છે અને અમુક માર્ગે થતું જશે એ સર્વ કબુલ છે; પણ એ માગ સાથે મારે શું કર્તવ્ય છે? મને જે સારું લાગશે તે હું કરીશ. મને જે પિતાનું સુખ અધિક પ્રિય હોય તો મારે તે કેમ જેવું નહિ ? તમે કહેશે કે પિતાનું સુખ અધિક જોઈશ તે તને જ અધિક દુઃખ થશે, ત્યારે હું કહીશ કે, એ મારી અક્કલ અને પ્રારબ્ધનો પ્રશ્ન છે. અધિક દુઃખ થાય નહિ તેવી સાવચેતી રાખી જે હું ચોરી વગેરે કરી સુખ મેળવું તો તે વિષે તમારું શું કહેવું છે? ઠીક, ધારે કે ભૂલથી મારે પાસે ઊધે પડે અને મને સુખ કરતાં દુઃખ વિશેષ પ્રાપ્ત થાય, તે તે દુઃખ ભોગવવાને હું તૈયાર છું.” કેટલાક કહે છે કે આમ કહેનારનું મુખ બંધ કરવા જેવી કેટી પેન્સરના સુખવાદ પાસે નથી. આ જ આક્ષેપ બીન પ્રકારે રજૂ થાય છે –ધારે કે અળણપણે આપણાથી એક ભયંકર ભૂલ થઈ છે અને આપણે બુદ્ધિપૂર્વક એક નાનું પાપ કર્યું છે. ભૂલનું ભયંકર પરિણામ જોઈ આપણને ખરાબ લાગે છે પણ પશ્ચાત્તાપ થતું નથી, દુઃખાકુલતા અને પશ્ચાત્તાપદગ્ધતા વચ્ચે ફરક છે. કર્તવ્ય કર્મ કરતા નથી તે પશ્ચાત્તાપ થાય છે. આપણા કર્તવ્યચુતપણાથી કાકતાલીયન્યાયે આપને કે અન્યને એકંદરે જો કે લાભ જ થાય; તે પણ મનમાં પશ્ચાત્તાપ થાય છે. પણ અજાણપણે થયેલી ભૂલથી ગમે તેટલું નુકસાન થવા છતાં પશ્ચાત્તાપ જેવું અંતર ને ચટકે મારનારું દુ:ખ થતું નથી. અનીતિનું વર્તન એટલે અસુખકારક વર્તન એવો જેઓ અર્થ કરે છે તેઓ ‘સુખપર્યાવસાયી પાપકર્મ કર્યા પછી ખોટું કેમ લાગે છે અને દુખપર્યવસાયી ભૂલ કર્યાથી તેટલું છેટું કેમ લાગતું નથી.” એની ઉપપત્તિ સારી રીતે લગાડી શકતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org