________________
કાકાર્ય કરાવવાની કસોટી
૧૮૩ સુખસમૃદ્ધિ વધી કે એ પછી થઈ તે હું બિલકુલ કહી શકો ન હેત.”
તકપટુ વાચક જાણુ શકશે કે, જનહિતની અભિવૃદ્ધિની ઇચ્છાથી કરેલા કર્મથી એકંદરે છેવટે દુઃખાભિવૃદ્ધિ જ થાય તો પણ પરે હિતાભિવૃદ્ધિની ઈરછા' એ સઈચ્છા કંઈ બેટી કરતી નથી અને તેનું મહત્ત્વપણ “નત્યભિવૃદ્ધિની ઇચ્છાથી વિશેષ ઊતરતી પંકિતનું ગણી શકાતું નથી, એ ધ્યાનમાં રાખીએ છીએ તે જનહિતવાદપરના આક્ષેપ શિથિલ બની જાય છે.
નીતિશાસ્ત્રમાં કર્મફળનું નહિ પણ કર્તાની બુદ્ધિનું પરીક્ષણ અધિક મહત્વનું છે, એમ પાછલા એક પ્રકરણમાં દૃષ્ટાંત સહ બતાવ્યું છે. ઘણાખરા સુખવાદીઓએ કર્તાના હેતુ તરફ દુર્લક્ષ કરેલું છે એ એક તેમની ઉપપત્તિમાં મોટી ખામી રહેલી છે. ઉપરોકત વિવેચન પરથી ધ્યાનમાં આવ્યું હશે કે, એકાદ કૃત્યના સુખદુઃખાત્મક પરિણામ સંબંધી કોઈને પણ ખાતરી આપવાનું સંભવત નહિ હેવાથી એક પ્રકારે એ વાદ લૂલે બનેલો છે. પરંતુ એથી મોટો દોષ હવે જણાશે. લે છે માત્ર તિલકે ગીતારહસ્યમાં એક મનોરંજનક દૃષ્ટાંત આપી સુખદુઃખાત્મક બાહ્ય પરિણામ પર કર્મનું શ્રેયસ્કર ઠરાવવું એ કેટલું અનર્થકારક છે તે અષ્ટ બતાવ્યું છે. અમેરિકાના એક મોટા શહેરમાં લોકોના સુખ અને ઉપયોગ માટે ટ્રાવે કરવાની હતી, પરંતુ તેને માટે આવશ્યક મંજૂરી મળવામાં અધિકારીઓ તરફથી વાર થવા લાગી. આથી છેવટે ટ્રાન્વેના વ્યવસ્થાપકાએ અધિકારીઓને લાંચ આપી મંજૂરી મેળવી અને થોડા વખતમાં દ્રા શરૂ થઈ તેથી લોકોની સવડ સચવાવા ઉપરાંત કંપનીને ફાયદો થયો. આ સ્થળે પુષ્કળ લેકોનું પુષ્કળ સુખ એટલું જ નીતિતત્ત્વ પકડવાથી ટકી શકાતું નથી. લાંચ આપવાથી ટ્રાવે થઈ એ બાહ્ય પરિણામ પુષ્કળને પુષ્કળ સુખ આપનાર હતું, પણ તેથી લાંચ આપી એ કાર્ય ન્યાયનું થતું નથી.”
તિલકે કહ્યું છે તે યથાર્થ છે કે કર્તાની બુદ્ધિ વિચારમાં લીધા વિના કર્મની નીતિમત્તા અથવા અનીતિમત્તા ઠરાવવાને દેષ સુખવાદમાં છે. પરંતુ સર્વ સુખવાદીપર એ દષારોપ નહિ થઈ શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org