________________
કાર્યાકાય ઠરાવવાની કસેટી
૧૮૧ અંગ્રેજ તત્ત્વવેત્તા ટી. એચ. ગ્રીન પિતાના નીતિશાસ્ત્રના ઉપદ્યાતમાં કહે છે કે, જનહિતવાદના “પુષ્કળ' એટલે કે શું? તેમાં પશુપક્ષીની ગણતરી કરવી કે નહિ? ગણી લેવાનાં હોય તે એક માણસના સુખની અને બીજાના સુખની તુલના કેવી રીતે કરવી વગેરે વાતને તેમાં નિર્ણય નથી. કહેવું જોઈએ કે આવા પ્રકારની ટીકા ઉદારતારહિત છે. હું એકાદ રંકને ચાર પૈસા આપું તે જગતના સર્વ માણસ અને પશુપક્ષી પર તેની શી અસર થશે તે હું કહી શકું નહિ, તેમજ બક્ષના આહારથી મને જે સુખ થશે કે અંજીરથી જે સુખ થશે તેનું ઓછું વતું પ્રમાણ દર્શાવનાર કેષ્ટક જનહિતવાદના ગણિતમાં નથી, પણ વ્યવહારદષ્ટિએ એ આક્ષેપમાં વિશેષ અર્થ નથી. હું બજારમાં મે લેવા જવું તે બજારભાવ તપાસી, દાડમ, નારંગી, દ્રાક્ષ કિંવા અંજીર ખરીદુ. મને જે કોઈ પૂછે કે, કેમ ભાઈ દાડમ કે નારંગી, દ્રાક્ષ કે લીંબુથી કેટલું સુખ મળશે અને તેની સાપેક્ષ માંધારત કે સાંધારતથી તેની સુખપ્રદતામાં કે ફરક પડે છે વગેરેનું કોષ્ટક આપશે? તે તેને હું કહીશ કે, “એ કાર્ય ગણિતનું નથી. એ પ્રકારનું ગણિત હું નહિ જાણતો હોઉં તેથી કંઈ મારું કાર્ય અટકતું નથી. એ જ પ્રમાણે કેટલા લેકેનું સુખ જેવું, એકના સુખની અને બીજાના સુખની તુલના કેવી રીતે કરવી, તેનું બીજગણિત પદ્ધતિનું સમીકરણ જે કે જનહિતવાદી જણાવી શકે નહિ; પણ તેથી તેનું તત્ત્વ નિરુપયોગી ઠરતું નથી. ઇતિહાસ તરફ જોઈશું તો જણાઈ આવશે કે, એ તત્ત્વ કાયદાકાનન ઘડનાર મંડળને અનેક વાર ઉપયોગી થઈ પડેલું છે. ઈતિહાસની સાક્ષી ત્યજી દઈએ તોપણ આપણા નિત્ય વિચાર અને ભાષણની પદ્ધતિ ઉપરોક્ત આક્ષેપને ઉત્તર આપી શકશે. આપણે સ્વદેશાભિમાની થવા વગેરેને ઉપદેશ કરીએ છીએ પણ એક માણસના કાર્યથી હિંદ જેવા વિસ્તૃત પ્રદેશનું કેટલું અને કેવી રીતે હિત અહિત થશે તે ઠરાવનાર તપશીલવાર ભૂલ વિનાના કોષ્ટકની કોને ખબર છે? કેઈ ને યે નહિ. આમ હોવાથી આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ તે દેશને વિઘાતક થશે કે પિષક થશે એને નિર્ણય વ્યવહારમાં મનમાં જ ઠરાવી લઈએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org