________________
નીતિશાસ્ત્રપ્રવેશ બનાવી શકે તેમ છે, પણ સ્વદેશ કરતાં પરદેશમાં અધિક માન સાથે કાર્ય કરવાની આંધક તક હોવાથી તેના સમક્ષ એ પ્રશ્ન ઉપસ્થિત થશે કે, “મારા દેશના ખ્રિસ્તી ભાઈએ એશિયાના જંગલીઓ કરતાં વિશેષ સદાચાર પન્ન છે તેથી અહીં કામ કરીશ તે ઘણું થવાનું જ હિત સાધી શકીશ, પણ એશિયામાં જઈશ તો એકદમ મોટા અધિકારનું સ્થાન મળશે અને હજારેનું કલ્યાણ કરી શકીશ. ત્યારે મારે થોડા સજજનેનું કલ્યાણ કરવાને માર્ગ સ્વીકાર ક હજારોનું કલ્યાણ કરવાને ?”
આ પાદરી જે જનહિતવાદી હશે તે “અધિકનું આંધક હિત' એ સૂત્રને અનુસરી તે એશિયામાં પધારશે. “પુષ્કળનું પુષ્કળ સુખ' કેિવા ” અધિકનું અધિક હિત એ નીતિનું મૂળતત્વ છે એમ ક્ષણ માટે સ્વીકારી લે છે માત્ર દિલકે બીજો એક એ આક્ષેપ કર્યો છે કે, સુખ કિવા હિત શેમાં છે અને તે કણે કેવા રીતે ઠરાવવું એ પ્રશ્નનો નિર્ણય એ સૂત્રથી નથી થતો. સામાન્ય જનને જે વાત સુખાવહ કિવા હિતાવહ લાગશે તે દૂરદશન તવી નહિ લાગે. સોક્રેટીસ અને ઈસુ ખ્રિસ્ત પોતપોતાની દષ્ટિએ પરિણામે કલ્યાણકારક એ જ ઉપદેશ દેશબંધુને કરતા હતા, પરંતુ તેમના દેશબંધુઓએ તેમને સમાજ શત્રુ ઠરાવી દેહાંતશિલા ફરમાવી ! સામાન્ય માણસની વાત તે ઠીક છે, પણે મોટા મોટા વિદ્વાને અનુભવી અને નિઃસ્વાર્થ માણસના, “પુષ્કળનું પુષ્કળ સુખ” સાધવાના પ્રયત્ન કેવળ નિષ્ફળ તે શું પણ ઘાતક બનેલા છે. પરંતુ એ સર્વ સ્વીકારી લેવા છતાં તત્ત્વ કંઈ ખોટું કરતું નથી. એ ઉપરથી એટલું થાય કે, એ તત્ત્વ વ્યવહારમાં લાગુ કરવા પૂર્વે માણસે અતિ સાવધ રહેવું જોઈએ, “નીતિધર્મનું અમારું તત્વ સત્ય છે, જડ માણસો તેને દુરુપયોગ કરે તેમાં અમારા શે ઈલાજ ? એ ઉત્તરમાં કંઈ અર્થ નથી એમ લે છે મા તિલક કહે છે. તેમનું કહેવું એમ છે કે, તત્ત્વ છે કે ખરું હોય તો પણ તેનો ઉપયોગ કરવાને કણ અધિકારી છે અને તે તેને ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરે છે વગેરે મર્યાદા પણ સાથે કહેવી જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org