________________
૧૭૬
નીતિશાસ્ત્રપ્રવેશ નહિ, તેજને માટે સારી પ્રકૃતિની જરૂર હોય છે એમ નથી હોતું. તેજ એક સારી પ્રકૃતિને આનુષંગિક પણ નિત્ય અથવા અવ્યભિચારી ધર્મ છે. તે જ પ્રમાણે સુખ અપ્રતિહત મને - વ્યાપારના અનુષંગે રહેનાર એક નિત્ય ધર્મ છે. આપણામાં જે કંઈ શક્તિ છે તેની ગતિ કઈ પણ સ્થળે કુંઠિત ન થતાં શક્ય તેટલી ઉત્તમ રીતે ચાલુ હોય છે, ત્યારે સુખ સેવામાં હાજર જ હોય છે. આપણી હરેક પ્રકારની કતૃત્વશક્તિની ગતિની અકુંઠિતતા અને તેને ઉત્કર્ષ, એ મુખ્ય મુદ્દો છે; સુખ પ્રાપ્ત નહિ. સુખ અપ્રતિહતઈદ્રિયવ્યાપાર આગળ કિંવા અને વ્યાપાર આગળ સેવક જેવું હોય છે, તેને સ્વામીનું પદ આપી શકાશે નહિ.
જનહિતવાદ પર તિલકને આક્ષેપ પુષ્કળનું પુષ્કળ સુખ” જે માગે સાધ્ય થાય તે માર્ગ નીતિને છે એ સિદ્ધાંત વિરુદ્ધ કેટલાકને એ આક્ષેપ છે કે, સંખ્યા પરથી જે નીતિ સ્થાપિત કરવાને ક્રમ લઈશું, તે કઈ વખત પાપને પુણ્યનું સ્વરૂપ પ્રાપ્ત થશે. ઉદાહરણ – પાંડવની પાસે સાત અક્ષૌહિણી સૈન્ય હતું ત્યારે કૌરવ પાસે અગિયાર અક્ષૌહિણી હતું. પરાજય થશે એટલે દુઃખ થવું, એ દષ્ટિએ જોતાં જનહિતવાદી માણસને કૌરવના પક્ષમાં ભળવું એ નીતિનું કાર્ય જણાશે, કારણ તેનું સૈન્ય અધિક હતું. પણ એ કોટી દુરાગ્રહી લાગે છે. પાંડવનું સાત અને કૌરવનું અગિયાર અક્ષૌહિણી સૈન્ય હતું; અર્થાત આર્યાવતમાં એટલી જ વસ્તી હતી કે? ઠીક, સૈન્ય સિવાયની સંખ્યા ચાર અક્ષૌહિણીથી ઓછી હતી એમ માનીએ પણ તેનાં બાળક અને ભવિષ્યના વંશનું હિત શામાં છે તે જોવું ન જોઈએ કે? જનહિતવાદ વિરુદ્ધ ઉક્ત આક્ષેપ કરનારને અમે પૂછીએ છીએ કે, પાંડવે જે ચોક્કસપણે જાણતા હતા કે, “આપણે વિજય થશે તે પ્રજાનું અહિત થશે અને કૌરવનો જય થશે તે તેનું કલ્યાણ થશે તો તેમણે યુદ્ધનો આગ્રહ કર્યો હતો કે? અને એવો આગ્રહ સ્તુત્ય થયે હેત કે ? પિતાનું સાત્વિક રાજ્ય કૌરવના તામસી રાજ્ય કરતાં પ્રજાનું અધિક કલ્યાણ સાધના થશે, એમ પાંડેમાં ભાવના ન હતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org