________________
૧૩૩.
કાર્યકાર્ય કરાવવાની કોટી છે કે પન્ન થશે. પણ જે દિવસે તેને એ અનુભવે બબ જ થયે હશે, તે પૂર્વે તેને માટે ખાઘસુખની ઈચ્છા શકય નથી; કારણ અનુભવ જ નથી ત્યાં અનુભવજન્ય સુખની કલ્પના ક્યાંથી હોય? પરંતુ તે દિવસેયે જે તેની આગળ શિખંડની વાડકી મૂકવામાં આવી હોત તો તેણે શિખંડ ખાધે હેન. શિખંડ ખાધા પછી તેને સુખ પણ થયું હોત;
તુ તે સુખની ઇચ્છાથી કંઈ શિખંડ ખાધે નથી હોતો. હવે તેથી વિરુદ્ધ સમ છે કે, બિલકુલ ભૂખ નથી અને રુચિ નથી. એવા વખતે શિખંડ ખાવાથી ઉત્પન્ન થનારા સુખની આશા મનમાં રાખી તે ખાવામાં આવે તે વરકન્યાના અભાવે લગ્નસમારંભ જેટલે શક્ય છે, તેટલી જ તે સમયે સુખપ્રાપ્તિ શકય છે. એ ઉપરથી જણાઈ આવે છે કે :
(૧) સુખપ્રાપ્તિની ઈચ્છીના અભાવે પણ ઈષ્ટ-વસ્તુ–લાભ પછી સુખ થાય છે તેમજ
(૨) સુખપ્રાપ્તિની ગમે તેટલી ઈચ્છા હોય તો પણ સુખ થાય છે જ,– એવું કંઈ નથી.
બે સિદ્ધાંત માન્ય કરવાને અર્થ એ છે કે સુખપ્રાપ્તિની મહાને ગૌણ કિંવા આનુષગિક સ્થાન આપવું.
સુખપ્રાપ્તિનું ધ્યેય આપણું પડછાયા જેવું છે. પડછાયાને તમે પકડવા જશે તે તે તમારી આગળ ને આગળ દેડી જશે, કદી હાથમાં આવશે નહિ; પણ જે તેના તરફ દુર્લક્ષ કરી તમે શાંતપણે ઊભા રહેશે તે તે તમારા ચરણ આગળ ઊભો રહેશે અને તમારા હલનચલન તરફ લક્ષ આપી સુશીલ પત્નીની પ્રમાણે તમારું અનુસરણ કરશે!
આ અનુભવજન્ય વાત છે. સુખપ્રાપ્તિની વિલક્ષણ વૃત્તિને અંગ્રેજીમાં Paradox of hedonism કહે છે. ખરેખર સુખપભોગની ઇવાળા જેટલે દરજજે પોતાનું ધ્યેય વિસરશે તેટલે દરજજે તેને અધિક યશ મળશે. કાવ્યનું સુખ કેને મળે છે ? જે કાવ્ય વાંચતાં વાંચતાં તેમાં એટલો લીન બની જાય છે કે તેને અન્ય કશાનું ભાન રહેતું નથી તેને જ. જે કાવ્ય વાંચવાની ઈચ્છા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org