________________
કાયકાર્ય કરાવવાની કચેરી ૧૭૧ છે કે, જે એવી સ્વાભાવિક પ્રવૃત્તિ તેમનામાં ન હતા તે તે નષ્ટ થયાં હેત. રાષ્ટ્રજીવનમાં પરાર્થપરાયણતાને ઉપયોગ થાય છે એ બે અનુભવ પુષ્કળ પેઢીઓથી થતું આવ્યો છે અને તે તેનાં બાળકોમાં સંક્રાંત થયો છે એવો અર્થ કરવાનો નથી, પણ અર્થ એ છે કે, જે રાષ્ટ્રના લેકોની બીજસિદ્ધ કિંવા સ્વાભાવિક પ્રવૃત્તિ કેવળ સ્વાર્થ પર નથી હોતી તે જ રાષ્ટ્ર જીવતું રહે છે, તેની જ પ્રજા વૃદ્ધિ પામે છે અને તેથી જ પરાપર પ્રવૃત્તિ સુસંસ્કૃત રાષ્ટ્રમાં સ્વાભાવિક હોય છે.
પ્રથમ કહી ગયા છીએ કે, સુખવાદને વિકાસવાદની પુષ્ટિ હોવા છતાં તેમાં દેષ રહે છે જ, તેનું હવે વિસ્તારપૂર્વક વિવેચન કરવાને હરકત નથી. સર્વ પ્રકારના સુખવાદની મોટામાં મોટી ભૂલ એ થાય છે કે, માણસના અંતઃકરણમાં સુખપ્રાપ્તિ સિવાય અન્ય કંઈ હેતુ હશે એવી શંકા પણ તેના સમર્થકોને થતી નથી. તેમને લાગે છે કે, બુદ્ધિપૂર્વક થયેલું પ્રત્યેક કાર્ય સુચ્છાથી જ પ્રેરિત થયેલું હોય છે. પ્રથમ દર્શને એ વાત ખરી ભાસે છે, પણ ઊંડી દષ્ટિએ વિચાર કરવાથી જણાઈ આવશે કે, આપણને ભાઈ વસ્તુની જરૂર હોય છે તેથી તેની પ્રાપ્તિને અંતે સુખ થાય છે. મુખપ્રાપ્તિ માટે તેની જરૂર હોય છે એમ નથી હોતું. સુખપ્રાપ્તિ એ એક આનુષગિક પરિણામ છે; તે જે પ્રધાન હેતું હોય તો સુખ થાય જ નહિ. ભૂખ હેય તે ખાવાથી આનંદ થાય. પેટ ભરાયેલું હોવા છતાં કઈ શિખંડપુરી ખાવા માંડે છે તેનાથી તેને વિશેષ સુખ થાય નહિ. જેને પુરાણ-વસ્તુ-સંશાધન પ્રિય નથી તે જે તે પ્રકારના ઉદ્યોગથી અન્યને જે સુખ થાય છે તે સુખ મેળવવાની આશાથી પુરાણ-સંશોધક બને તે પણ તેને સુખરૂપી ફળની વિશેષ પ્રાપ્તિ થાય નહિ. આવાં ઘણું દૃષ્ટાંત છે પણ તે અહીં આપવાની ખાસ આવશ્યકતા જણાતી નથી.
આ વાદમાં ઉપરોક્ત મુદ્દો મહત્ત્વ હોવાથી સુખને અને તે પહેલાની વાસનાને શો સંબંધ છે તેને સહજ વિસ્તારથી વિચાર કરીશું. કેટલાક કહે છે કે, કોઈ પણ ઈચ્છા મનમાં ઉત્પન્ન થાય છે એટલે તે તમ થતા સુધી મન અસંતુષ્ટ રહે છે. એ અસ તાવ પ્રમાણમાં ઓછેવત્તો તીવ્ર હશે પણ અસંતોષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org