________________
૧૭૦
નીતિશાસ્ત્ર પ્રવેશ કે, સુખદુઃખની લંબાઈ પહોળાઈ જોઈ અને તે જીવનને પોષક છે કે ઘાતક છે તેને નિશ્ચય કરી તે પરથી તેની મહત્ત્વતાનું પ્રમાણ ઠરાવવું. જંગલી અવસ્થાના માણસમાં અશનશયનાદિ ઈદ્રિયસુખને જ ઉપભોગ લેવાની શક્તિ હતી, પણ કાલાંતરે લલિતકળા, વિવિધ વાલ્મય વગેરે વિવિધ વાતમાં રમમાણ થવાની પાત્રતા આવી, એટલે તેના સુખની લંબાઈ સાથે પહોળાઈ પણ વધી. માનવ જાતની ઉન્નત્તિ પૂર્ણ થશે એટલે તેને સુખોપભોગની પાત્રતા અતિ વિસ્તાર પામશે.
પેન્સરને અભિપ્રાય એ છે કે, પ્રત્યેક માણસ સુખી શોધમાં હોય છે. તે જાણતો હતો કે, સુખોપભોગની પ્રવૃત્તિ સ્વભાવિક હોય તો પણ તે સદૈવ વ્યક્તિ કે સમાજના જીવનને વિક જ હોતી નથી અને તેથી જ તે પ્રત્યક્ષ સુખ તરફ જેવાને બદલે સુખના આધારભૂત ' પ્રકૃતિનિરામયત્વ'ને માણસે વારંવાર વિચાર કરવો જોઈએ એમ વારંવાર કહે છે. છતાંયે તેનું એટલું તે કહેવું છે જ કે આપણું સુખપ્રવૃત્તિ જે હંમેશાં નહિ તોપણ એકંદરે અને સામાન્યત. જીવનને અનુકૂળ અને વિક જ છે. કારણ જો તેમ ન હોત તે આપણે કયારનાયે જીવનસંગ્રામમાં નાશ પામ્યા હતા. જે આપણે પતંગિયાની માફક ઘાતક સુખને પ્રિય ગયું હોત તે પ્રત્યેક માણસ સુખ ઇચ્છનાર હોવાથી પ્રત્યેક નષ્ટ થયો હોત. માનવતના ઇતિહાસમાં એવા ઘણા માણસો તથા પુષ્કળ જાતિઓને નાશ થયે હશે. જે પતિના કે દેશના લોકોને આળસમાં, વિલાસમાં, વ્યભિચારાદિ પાપકર્મમાં સુખ જણાતું હશે અને જે પોતાની જાતના કિંવા બહુ તે કુટુંબના સુખની આગળ જોઈ શકતા નહિ હોય તે લોકોને અધિક સંવૃત્ત કે સ્વાર્થ ત્યાગી લોક સાથે સંબંધમાં આવવાનો પ્રસંગે ઉપસ્થિત થાય તો તેઓ જીવનકલહમાં પાછળ પડે એ સ્વાભાવિક છે.
સ્વાર્થતત્પર માણસનું રાષ્ટ્ર જલદીથી અધોગતિ કિવા પ્રલયને પ્રાપ્ત થાય છે. રાષ્ટ્ર જીવનને પરાર્થપતાને ગુણ આવશ્યક છે. જે રાષ્ટ્રોમાં એ ગુણનો અભાવ હતો તે રાષ્ટ્રો મરણ પામ્યાં છે. જીવંત રાષ્ટ્રના લોકોમાં સ્વાર્થ સાધવાની સાથે ડી ઘણી પરાર્થની ઈચ્છા હોય છે જ, તેની ઉપપત્તિ એવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org