________________
નીતિશાસ્ત્ર પ્રવેશ મળ્યા? એવી બાહ્ય બાબતમાં તો શું પણ માનસિક બાબતમાં પણ વ્યકિતએ સમાજનું ઋણ સ્વીકારવું જોઈએ. વાંદરાદિ પ્રાણીને વિકાસ થતાં થતાં જેમ હાલનું માણસનું સ્વરૂપ બન્યું તેમ તેના માજ પર અને તેના આશ્રયી મન પર પણ કાળના સંસ્કાર થઈ તેને હાલનું સુસંસ્કૃત સ્વરૂપ પ્રાપ્ત થયું છે.
સમાજ અને કિતને આવો અનાદિ પરંપરાગત સંબંધ લક્ષમાં લઈ વ્યક્તિનું સુખ વધારવા માટે જ પ્રથમ સમાજનું પ્રકૃતિસ્વાથ્ય સંભાળવું જોઈએ. નહિ તે પુષ્કળ વ્યક્તિને પુષ્કળ સુખ તરફ જ જોયા કરી નિવહ ર લાવવા માં એકાદ વખત સમાજરૂપી શરીરની પ્રકૃતિ બગડી છે. સર્વ અવયવ રિગિઇ, દુઃખાકુલ થવાનો સંભવ છે. “સંભવ” છે એવી મુગ્ધ વાત કરીને સેન્સર અટકતું નથી. તેણે એમાં અનેક ઉદાહરણ આપ્યાં છે. નહિતવાદી લોકોએ સહેતુથી પણ સંકુચિત દષ્ટિએ લોકહિતાર્થે જે અનેક સૂચનાઓ કરીને જે કાયદા ઘડાવ્ય: છે તેમાંના કેટલાક કેવી રીતે અનર્થકારક છે તે તેણે પોતાના “મનુષ્ય વિરુદ્ધ સમાજ” નામના પુસ્તકમાં ચર્ચા છે અને તે અતિ મનનીય છે.
સુખવાદ વિરુદ્ધ એન્સરનો બીજો એ આક્ષેપ છે કે, “સુખ વધારવું, સુખ વધારવું એમ એ વાદ કહે છે અને આપણે આજે જે કર્મ કરે શું તેનાથી થનારા સુખદુઃખાત્મક ફલને સરવાળો કરી બાદબાકી કરતાં ભવિષ્યકાળની વ્યકિત, ભાષ્યકાળને સમાજ અને ભવિષ્યકાળની પરિસ્થિતિ હાલના જેવી જ રહેશે એમ એ વાદ માની લે છે; પણ વસ્તુત: વ્યકિત કિવા સમાજ વૃક્ષયાદિ વિકારને પ્રાપ્ત થાય છે. તેની આજની સ્થિતિ પરથી ભવિષ્યની સ્થિતિનું અનુમાન કરવું એ ભૂલ છે. આજે જે વાતથી આપણને સુખ થાય છે તે વાતથી રમાપણા પૂર્વજોને સુખ થયું હોય એમ માની લોવાય નહિ. તેવી જ રીતે આપણા જંગલી પૂર્વજોને હાલના કાવ્યથી કે તવજ્ઞાનથી વિશેષ આનંદ-પ્રાપ્તિ થઈ હોત નહિ. આપણને બીજાનો પ્રાણ લેવાથી કે લીધે જોવાથી અથવા સાંભળવાથી જે દુઃખ થાય છે તે આપણા પૂર્વજોને થતું ન હતું. લાખ વર્ષ પરના આપણે કોઈ પૂર્વજને જે કઈ માયાવી પણાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org