________________
કાકાએ કરાવવાની કચેરી જે ભૂલ થાય છે તે જ ભૂલ વિકાસવાદનાં તત્ત્વ ધ્યાનમાં આવતા પૂર્વે સુખવાદીઓ કરતા હતા. તમારો પુત્ર સુખી થાય એવી તમારી ઈચ્છા હોય તે તેની પ્રકૃતિ સારી નરેગી રહે તે માટે કાળજી રાખે, તે માગે તેટલું ખવડા પીવડાવો નહિ; કારણ સુખનું કારણ પ્રકૃતિની આરોગ્યતા છે, જે ઈચછા થાય તે તૃપ્ત કરવી એ નહિ. સમાજનું પણ તેમ જ છે. “ઘણાનું ઘણું સુખ’ એ બેય પેન્સર સ્વીકારે છે, પણ જનહિતવાદીઓની સુખોપત્તિમિમાંસા અથવા સુખસાધનમાર્ગ તેને ખોટ લાગે છે. તેનું કહેવું એવું છે કે, સમાજરૂપી શરીરને કયું સુખ માફક આવે છે, કયું નથી આવતું, કયું દુઃખ વિશિષ્ટ પરિસ્થિતિમાં આવશ્યક છે અને કયું અનાવશ્યક છે વગેરે વાન ડે વિચાર સશાસ્ત્ર રીતે કરવો જોઈએ. એ પ્રમાણે ઉડે વિચાર કરતાં જણાઈ આવશે કે, સમાજનું પ્રકૃતિસ્વાધ્ય સમાજની વ્યક્તિના સુખનું મૂળ કારણ છે. સમાજ એટલે એમ નથી સમજવાનું કે કેવળ ધાન્યના ઢગલા માફક માણસોને ઢગલો છે. સમાજ એ વિરાટ સ્વરૂપી સ્વતંત્ર અને સજીવ વ્યક્તિ છે. માણસ એ વિરાટ શરીરનો અવયવ છે. સમાજ બગડે તે તેના અવયવ પણ નિર્બળ થવા જ જોઈએ. શરીર જે રેગી, નિર્બળ હોય તે તેની વ્યક્તિઓને ભળતી જ વાત દેખકર લાગે અને ભળતી જ દુઃખકર લાગે. એ સુખદુઃખ પર કાર્ય અકાય ઠરાવવામાં આવે તે સમાજનું અધઃપતન થાય અને અંતે વ્યક્તિનું સુખ પણ નષ્ટ થાય. સુખવાદનું પરમદેવત એટલે વ્યક્તિ અને સમાજ એટલે કેવળ આકસ્મિક કારણથી એકત્ર થયેલ વ્યક્તિ સમૂહ. પણ વિકાસવાદ કહે છે કે, વ્યક્તિ અને સમાજને અતિ નિકટ સંબંધ છે. એ બે “વસ્તુ’ અન્ય-નિરપેક્ષ નથી, પણ અન્ય સાપેક્ષ છે. તેમનો એકાંગી સંબંધ છે. ગમે તેટલે પાછળનો ઈતિહાસ જુઓ; વ્યક્તિ અને સમાજને અન્યાશ્રય જ જોઈ શકશે. સમાજ સિવાય વ્યક્તિનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. હાથ કિંવા પગનું જેમ શરીર વિના સ્વતંત્ર અસ્તિત્વ નથી તેમજ વ્યક્તિનું પણ સમાજ વિના અસ્તિત્વ નથી. વ્યક્તિને ભાષા ક્યાંથી પ્રાપ્ત થઈ? તેણે પિતાનું ઘર કેવી રીતે બાંધ્યું? તેને અન્ય દેશના પદાર્થ કેવી રીતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org