________________
૧૬૬
નીતિશાસ્ત્ર પ્રવેશ સાકર ગળી શા પરથી, ત્યારે “લાગે છે તેથી,' એ સિવાય અન્ય ઉત્તર નથી અને તે જ પ્રમાણે બ્રહ્મજ્ઞાન પૂજ્ય શા માટે, ત્યારે “જેને તે પ્રાપ્ત થયું છે તેને તે અનિર્વચનીય આનંદ આપે છે માટે ; એ સિવાય અન્ય ઉત્તર નથી. જેને એ અનુભવ નથી અથવા અનુભવ લેવાની ઈચ્છા નથી, તેવા મૂખ અને દુરાગ્રહી આગળ બ્રહ્મદેવને હાર ખાવી પડે. પણ એ જ ન્યાય જનહિતવાદને કેમ લાગુ ન પાડવો ? સુસંસ્કૃત જનને જનહિત સાધવામાં આનંદ થાય છે માટે તે સાધવાનો પ્રયત્ન કરે એમ એ વાદ કહે, તે “સુસંસ્કૃત માણસનું સાંભળવાની અમને શી જરૂર છે ” એવો પ્રશ્ન કરવા યોગ્ય છે કે? ખરી વાત એ છે કે પ્રત્યેક વાતને પ્રમાણ મળવું શક્ય નથી. પ્રમાણુની પરંપરા શરૂ કરવામાં આવે તે છેવટે એક સ્થાને અટકવું જ જોઈએ.
સુખવાદ અથવા જનહિતવાદ પર ઘણા આક્ષે ૫ કરી શકાય તેમ છે. માણસ જે કંઈ બુદ્ધિપુરઃસર કરે છે તે સર્વ સુખપ્રાપ્તિની ઇચ્છાથી જ કરે છે એ તત્ત્વ ભૂલભર્યું છે. તેવી જ રીતે નીતિતત્વ કર્મફલ તરફ અત્યંત દુર્લક્ષ રાખી ચલાવી શકે નહિ, એ એકાંગી તત્વને સુખવાદીઓ તરફથી એટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે કે, તેઓ ઘણી વખત ભૂલી ગયેલા જણાય છે કે, “નીતિમત્તા બુદ્ધિ પર અવલંબેલી છે; કર્મફલ પર નહિ.” પરંતુ આ અને એવા જ પાસેનો વિચાર કરતા પહેલાં પિતાની જાતને અધિક સશાસ્ત્ર કહેવડાવનાર નવીન સુખવાદીઓની જાના સુખવાદ પર જે આક્ષેપ છે તેને વિચાર કરીશું, એ ઘરભેદુ સુખવાદી સ્પેન્સર પ્રભાતિ વિકાસવાદીઓ છે.
પેન્સર કહે છે કે, “સુખ કહે, સંતોષ કહે:, આનંદ કહે, ગમે તે કહે. અંતે તમારે કહેવું જોઈશે કે, કોઈ પણ “ઇષ્ટ એવી માનસિક વૃત્તિ જ માણસનું ધ્યેય છે.” પેન્સર અને સુખવાદીઓનું ધ્યેય એક જ છે, પરંતુ એ બેય કેવી રીતે સાબ કરી લેવું તે સુબવાદીઓને સમજાતું નથી, એમ સ્પેન્સર જણાવે છે. તે કહે છે કે, માણસને તાવ આવ્યો હોય ત્યારે રોગના મૂળ કારણનું ઔષધ આપવાને બદલે માથું દુખવું વગેરે જે વિશિષ્ટ ભાવના થતી હોય તેને જ માત્ર પ્રતિકાર કરવા માંગનાર વૈદ્યની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org