________________
૧૬ર
નીતિશાસ્ત્ર પ્રવેશ પણ સુખ સુખમાં ભેદ છે. જેમ ગધેડાનું કે દુક્કરનું સુખ અને સુસંસ્કૃત માણસનું સુખ એક જ પંક્તિનું નથી, તેમજ ઈકિય"મનનું ગ્રામ્ય સુખ અને નિષ્કામ બુદ્ધિથી કરેલી જનસેવાનું સુખ એક જ પદવીનું નથી. અન-શયનાદિ તામસ ઇકિયસુખના પ્રમાણથી સારિક સુખ કોમળ, આછું અને ફિકકું ભાસે છે, તેમાં તમામ સુખ જેવું ઉત્કટવ હોતું નથી; પણ સુસંસ્કૃત માણસને સાત્વિક સુખ જ અધિક હૃદયગંમ લાગે છે. અરે એ માણસ એક વખત મહાન સંકટ – કષ્ટ વેઠવાને તૈયાર થશે, પણ તે પોતાને સારિક આનંદ ગુમાવશે નહિ ? જવા દેશે નહિ. મદ્યપાનને સુખમાં અને કાવ્યરસસ્વાદના સુખમાં મહદ્ અંતર છે. જગતનું કોકડું નહિ છૂટવાથી કેિવા જગતના વિવિધ દુઃખનું વ્યસન વગેરેનું જ્ઞાન હોવાથી એક રીતે વિચારી અને સહદય માણસનું મન દુખાકુલ અને અસંતુષ્ટ હોય છે, પણ ડુકકરને એવા પ્રકારની દુઃખની ગંધ પણ હોતી નથી છતાં એ ડુક્કરના અમંગળ સ્વાસ્થની કઈ પણ સુવિચારીને પિ નથી થતી.*
દેશકાર્ય માટે તન, મન, ધન અર્પનારને યિસુખને. ત્યાગ કરવો પડે છે અને પુષ્કળ કષ્ટ સહેવું પડે છે, પણ તે પિતાનું કાર્ય ત્યજાતે નથી તેનું કારણ એ જ છે કે, દેશસેવાના કાર્યમાં તેને એક પ્રકારના ઉચ્ચ સારિક સુખને સ્વાદ મળે છે. એક રીતે એ પણ સ્વાથી જ છે; પરંતુ એ સ્વાર્થ ઉચ્ચ પદવીને હોવાથી વંઘ અને આદરણીય છે.
મીલે સુખસુખમાં ઉચ્ચ-નીચ, સાત્વિક–તામસી, સુસંસ્કૃતગ્રામ્ય, એવા પ્રકારના ભેદ ક૯યાથી સુખવાદમાંથી સંકુચિત પણું અને તેનું નિંદ્ય સ્વરૂપ દૂર થઈ વજનદારપણું અને આદરણીયતા ઉદ્દભવે છે; પણ એ પુખ્તપણાથી સુખવાદની જુવાનીનું જોર, સરળતા અને એકવચનીયતા નાશ પામેલાં છે એટલું કબૂલ કરવું જોઈએ. હૈબસ, બૂથમ વગેરે ગર્દભ સુખ અને માણસના સુખમાં
* I shall be a dissatisfied Socrates rather than a satisfied pig.-Mili.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org