________________
કાર્યકાર્ય કરાવવાની કસોટી
૧૫૯ ગુણ – દાખલા તરીકે કસરત કરવાની શકિત, ભાષાજ્ઞાન વગેરે – બાળકમાં સંસ્કાર રૂપે ઊતરે છે, એ અભિપ્રાયને નિઃસંશય એવો કોઈ શાસ્ત્રાધાર નથી. એ સંબંધમાં કેટલાક વિકાસવાદી કહે. છે કે, બાળકમાં ખાત ગુણ સંક્રાંત થાય છે એ જો કે
અસિદ્ધ હશે, પણ પ્રકૃતિ જ કિંવા બીજગર્ભ ગુણના સંક્રમણ વિષે તે શક નથી જ, આ સિદ્ધાંતની સાથે “જીવનકલહમાં પરિસ્થિતિને જે અધિક અનુરૂપ હોય છે તે જ ટકે છે” એ સિદ્ધાંતને રાખવામાં આવે છે તો ફક્ત આક્ષેપની તીણતા દૂર થાય છે. પ્રાણીમાત્ર સુખની પાછળ પ્રવર્તી રહેલ છે. જે જીવોને જીવનને ઘાતક એવા સુખોપભોગની ઈચ્છા થતી હશે તે જીવો જીવનસંગ્રામમાં પાછળ પડશે અને કાલાંતરે નામશેષ થશે, એ તત્ત્વ ધ્યાનમાં લેતાં, નાનાં બાળકોમાં જે નૈતિક પસંદગીનાપસંદગી નજરે પડે છે તે અનેક પેઢીઓના અનુભવરૂપી અગ્નિમાં તવાઈ, કસાઈ નીકળેલ હોય છે અને એકંદરે તે જીવનને ઉપયોગી જ હોય છે એમ માનવાને હરકત નથી.
સુખવાદને વિકાસવાદે હાથને આધાર આપી ઊંચકી રાખ્યાથી તેને કેટલીક બાબતમાં અધિક સન્માનનીયત્વ મળ્યું છે; પણ વિકાસવાદની સહાયતાને વિચાર થોડે વખત મુલતવી રાખી વિકાસવાદનાં અન્ય નૈતિક અંગે સાથે એ અંગને પણ વિચાર કરીશું.
સાહચર્યજન્ય ભ્રમને આધારે ઉચ્ચ અને પરાર્થ પર મનોવૃત્તિની સ્વાર્થ પર મીમાંસા કરીશું કે જે લોકો સ્વસુખનિરપેક્ષતાથી પરહિત વિષે તત્પર હોય છે, તે વિશેષ વંઘ કરવાને બદલે ભ્રમિક અને મૂઢત્વપદને પ્રાપ્ત થાય છે. દુષ્યન્ત વિષે કાલિદાસે કહ્યું છે કે : –
स्वसुखनिरभिलाषः खिद्यसे लोकहेतोः
प्रतिदिनमथवा ते वृत्तिरेवंविधैव । આ રાજપિની નિરપેક્ષ પ્રજાહિતદક્ષતા અને લતાને ઉર્વશી સમજી આલિંગન આપવાનું પુરુરવાનું ગાંડપણ, ઉક્ત
* પરિશિષ્ટમાં આ પ્રશ્નને વિસ્તારપૂર્વક ઊહાપોહ કર્યો છે તે જોવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org