________________
૧૫
નીતિશાસ્ત્રપ્રવેશ કરે છે તેનું કારણ એવું હોય છે કે, તેમનાથી પરોપકાર કર્યા સિવાય રહેવાતું નથી. અન્યનું દુઃખ જોઈ તેમનું દિલ દુઃખાય છે અને પિતાનું એ દુઃખ દૂર કરવાની બુદ્ધિથી જ તેઓ પરોપકાર કરે છે ! માતા બાળકને દૂધ પાય તે તેમાં માતાનાં વખાણ કરવાની જરૂર નથી, કારણ તેના સ્તનમાં પુષ્કળ દૂધ હેવાથી જે પાને ફૂટેલા હોય છે તે પા’નાથી ઉત્પન્ન થયેલી અસ્વસ્થતા દૂર કરવાની સ્વાર્થ મૂલક બુદ્ધિથી જ તે દૂધ પાય છે ! નીતિશાસ્ત્રજ્ઞ બેંથેમ માટે પોપકારી હતો; પણ તે એક સ્થળે કહે છે કે, હું પણ અન્યની માફક જ મારા પિતાના સુખની પાછળ પડેલે છું. ભેદ માત્ર એટલો જ છે કે, કર્મ-ધર્મસંયોગે પરોપકાર કરવામાં મને અધિક સુખ મળે છે અને અન્યને તેવું નથી મળતું.” અન્ય એક સ્થળે તે કહે છે કે, સંસારે પભોગમાં આપનું મુખ્ય બે ગસાધન સ્વાર્થ બુદ્ધિ સાથે પરોપકાર બુદ્ધિને ચટણીની માફક કિંવા ભજન પછી કરેલા ફળાહાર જેવી સમજીને (Dessert) ઉપયોગમાં લઈશું, તે આપણે ઉપભોગ અધિક સુંદર–મેજને થશે !' (For diet nothing but self-regarding love will serve; for dessert, benevolence is a valuable addition ) પરંતુ એવી રીતની પરેપકાર બુદ્ધિ એટલે સ્વાર્થને જ એક પયોય છે. એ કથન સુસંસ્કૃતજનને રુચવું શક્ય નથી. આથી કેટલાક નીતિશાસ્ત્રવેત્તાઓએ સહાનુભૂતિ ” કિંવા “પ્રેમ ને સ્વાર્થની સાથે સ્થાન આપી એ બે મને વૃત્તિનું જે માગે સર્વથી, અધિક સમાધાન થાય તે માગ સારે છે એમ ઠરાવ્યું છે, પણ એ બે મનોવૃત્તિમાં વિરોધ ઉત્પન્ન થયો હોય તો પ્રેમને અધિક મહત્ત્વ આપવું કે સ્વાર્થને, એ પ્રશ્ન થાય છે. એ બે મનોવૃત્તિની સુખવાદના આધારે એકવાક્યતા થવી મુશ્કેલ છે. પોતાને સૂખ સિવાય અન્ય કોઈનો હકમ નહિ માનવાની પ્રતિજ્ઞા કરનારને એકાદ વખત ગમ્મત ખાતર કે કીતિ માટે પરોપકાર કરવાનો વિચાર થશે, પણ તે પ્રેમ માટે પ્રાણની આહુતિ આપવા કદીયે તૈયાર થશે નહિ; કેમકે જે તે તેમ કરે તે પોતાની મૂળ પ્રતિજ્ઞાને જ ભંગ કર્યા જેવું થાય.
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org