SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ નીતિશાસ્ત્રપ્રવેશ થાય છે કે, “શાસ્ત્રનું સારાપણું તેમાંનાં તત્ત્વો પરથી કરે છે, શાસ્ત્ર પરથી તત્ત્વનું સારાપણું નિશ્ચિત થતું નથી.' અમારું શાસ્ત્ર કહે તે જ ખરું પછી અન્ય શાસ્ત્ર ગમે તે કહે અને અમારે મને ગમે તે કહે – એટલું કહેવા જેટલી જેની શાસ્ત્ર પર શ્રદ્ધા છે, તેની વાત જુદી છે; પણ અન્યને શાસ્ત્ર શાસ્ત્ર વચ્ચે તારતમ્ય ભાવ જોવાની આવશ્યકતા જણાય છે. સ્વાભાવિક છે. એવાઓએ શાસ્ત્રનાં તત્વોની એ છીવત્તી ઉત્તમતા કેવી રીતે ઠરાવવી? નીતિનિર્ણયના કાર્યમાં પિતાનું રાજસ કિંવા તામસ મને નિરુપયોગી હોવાથી સામ્યવસ્થાએ પહેલા સદ્ગુરુની ખાય લેવાનું કહ્યું છે, તો પણ આવા જ પ્રકારની અડચણ ઉત્પન્ન થાય છે. પ્રથમ તે સદ્ગુરુનું સર્વ કેણે કે રીતે ઠરાવવું? મને જે સદ્ગુરુ લાગશે તે અન્યને નહિ લાગે. ઠીક, તે અભયભાણદિની વાત કરે તો તેને છોડી દઈ અન્યના આશ્રય લેવો કે નહિ ? સદ્દગુરુ, ખરેખર સંત છે કે નહિ, તેને નિર્ણય કરતા પહેલાં આપણી પાસે કાંઈ સાધન હશે તે જ કાજુબાજુ રહેતા ગુરુઓમાંથી સદ્ગરને આપણે ઓળખી શકીશું. નહિ તે નજીકમાં હીરે હવા છતાં આપણે કાચ તરફ જતા રહીએ અને પછી પશ્ચાત્તાપ કર પહે; ઠીક, એ વાતને નિર્ણય થાય તે પણ જેનું મન નિવાર બનેલું છે અને જે બી લામાં વર્ણવેલી દ્વતીત સામાવસ્થા એ પહોંચેલ છે તેવા સશુરુઓ કિવા “આત’ પુરુષ કેટલા છે. એ પ્રશ્ન રહે છે જ. તમે કદાચ કહેશે કે, ગીતામાં કહેલ સ્થિતપ્રજ્ઞ ન મળે તો આપણાથી ઊંચી પંક્તિને જે હાય તેમને જ “આપ” પુરુષ ગણવા. આ ઉપદેશ વ્યવહારિક દષ્ટિએ ખોટ નથીપણ, અહીં એ લોકોનું ઉચ્ચત્વ કઈ પણ ન પર જ કરાવવું પડે છે. એ તવ ક્યું એ જ આપણે પ્રથમ પ્રશ્ન છે માટે કેવળ મહાન માની લેવાથી કેમ ચાલે? બીજું એ કે શાસ્ત્ર અને સદ્ગરના શાસનમાં વિરોધ ઉત્પન્ન થયો હોય તે શું કરવું એ પ્રશ્ન રહે છે જ. એમ તો કહી શકાય નહિ કે, સાધુપુરુ શાસ્ત્રવિરુદ્ધ કદી પણ ઉપદેશ આપે નહિ. ક્રાઈસ્ટ, બુદ્ધ અને અન્ય અનેક સુપ્રસિદ્ધ સાધુસંતોને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy