SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ કાર્યાકાચ ઠરાવવાની કસોટી હાલે, મિલ, પિન્સર વગેરે તત્ત્વવેત્તાઓએ સુખવાદના સમર્થન સારુ ઉપયોગ કરેલ હોવાથી પ્રથમ કરતાં તેને વિશેષ પ્રૌઢતા પ્રય થયેલી છે. એ ગ્રંથકારોના વિશિષ્ટ વિચારોનું વિસ્તારપૂર્વક વિવરણ અહીં કરવા કરતાં પ્રસંગનુસાર તેને ઉલ્લેખ અને ચર્ચા કરી ઠીક થશે, તથા આટલે દશ કરી એ વાત અહીં જ પડતી મૂકી આધિદેવ પક્ષ વિરુદ્ધ આક્ષેપ જે પક્ષ કહ્યું છે કે સદવિવેક બુદ્ધ કિવા કેશ્યન્સને ન્યાયતનું પદ આપી તેની સમક્ષ ન તક ફરિયાદ રજૂ કરવી અને તે જે નિર્ણય કરે તે સ્વીકારવો, તે ગીતારહસ્યકાર લે. મા. બાળગાધર તિલકે “આધદેવન' પણ કહ્યો છે. એ પાને અનુયાયી તરફ મોટી સંખ્યામાં નગરે પડે છે. સામાન્ય જનની પ્રવૃત્તિ એ પક્ષ પ્રતિ જ હોય છે. “ તું તારા મનને જ પૂછે જેઈને કે એ ખરું છે કે હું ?” એમ આપણે ઘણી વાર કહીએ છીએ. મનમાં જે પાપવિચાર આવે છે તે આપણને પિતાને જ કંઈનું કંઈ થાય છે. આપણે હાથે પાપ થાય છે તો આપણું મને જ આપણને ડંખે છે. કયું કામ સારું છે તે ધ્યાનમાં આવવામાં મુશ્કેલી નથી, પણ તેવી કૃતિ થવી દુર્ઘટ હોય છે. માટે આપણું મને જે કહે તે પ્રમાણે સારા નરસાનો નિર્ણય કરવાનો નિયમ સામાન્ય રીતે અયોગ્ય નથી; પણ જીવનમાં કેટલાક પ્રસંગ એવા આવે છે કે, તે વખતે કયું કામ સારું અને કહ્યું માઠું એ બાબતમાં આપણું મન કંઈ નિર્ણય આપી શકતું નથી. અર્જુનનો વ્યામોહકાળ સર્વને સુવિદિત છે, ઘણાયે મહાપુરુષોને વિ વર્મ મિર્મ વિષે મોહ પડેલો છે, અર્થાત એ પ્રશ્ન અતિ નમ અને ગૂંચવણ છે. પ્રથમ ઝીણી ઝીણી વાતે તપાસીશું. કેટલાકને માંસભક્ષણ રૂઢિવિરુદ્ધ તો શું પણ અનીતિને લાગે છે, ત્યારે કેટલાકને તેવું કંઈ લાગતું નથી. મદ્યપાનની કથા તેવી જ છે. વિધવાના પુનલગ્નની વાત એથી વિશેષ મહત્ત્વની છે, પણ હૃદય-મન-શ્યન્સને પૂછતાં કેટલાક હિંદુ તેને અનીતિમય કરશે અને કેટલાક નહિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy