________________
૧૪૩
કાર્યકાર્ય કરાવવાની કટી કહેવાય છે કે તેના શિષ્યમંડળમાંની સ્ત્રીઓ સાથે અન્ય શિષ્યોને સંબંધ સ્વેચ્છાચારી હતી પણ એ એપીક્યુરીયનના શત્રુએ કરેલી નિંદા છે તેમજ તે યથાર્થ નથી એમ કેટલાક શોધક જણાવે છે. એપીક્યુરતનું રાષ્ટ્રહિત તરફ લક્ષ નહોતું. રાષ્ટ્ર નામને વિચાર થતાં જ જણાય છે કે તેથી માણસનું સ્વાતંત્ર્ય થોડા ઘણા પ્રમાણમાં પણ ઘટી જાય છે. તેને સ્વાતંત્ર્યાપહારક બંધન બિલકુલ પસંદ નહતાં. એપીયૂરસના તત્ત્વજ્ઞાનને તેના ન્યાયશાસ્ત્ર વિષયક અને આધિભૌતિક શાસ્ત્ર વિષયક તને આધાર હતે; એટલું જ નહિ પણ તેના પાયા પર જ તેની રચના હતી. સીરેનાઈક તત્ત્વવેત્તાઓને એવો તાત્ત્વિક આધાર નહિ હોવાથી એ પીયૂરીયન નીતિતત્ત્વ આગળ તેમનું તત્ત્વ ફિકકું પડયું. એ શાસ્ત્રવિષયક તત્વેનું આજે કંઈ મહત્ત્વ નહિ હોવાથી તેમજ ગ્રંથવિસ્તારના ભયથી તે અહીં ઉતાર્યા નથી.
આધુનિક સુખવાદ એપીયૂરસ વગેરેના પુરાતન ગ્રીક સુખવાદ અને મીલ વગેરેના આધુનિક સુખવાદના ધ્યેયમાં કંઈ વિશેષ ભેદ નથી. “સુખ', પછી તેને “સમાધાન” કહે, “શાંતિ ” કહે, “આત્મપ્રસાદ” કહે, ગમે તે કહે, એ જ સર્વનું ધ્યેય છે. ભેદ હોય છે એટલે જ કે આધુનિક લોકોનું સુખ સમજભર્યું, વિચારપૂર્ણ, દૂરદર્શી અને સમાજ-સાપેક્ષ બને છે. સમાજ-સાપેક્ષ વિશેષણ લક્ષમાં રાખવા જેવું છે. એપીક્યુરસ મિત્રો સાથે બેસી વાર્તાલાપ કરવાનું પસંદ કરતે પણ તેના સુખને સમાજની વિશેષ આવશ્યકતા નહોતી. સમાન શીલ અથવા વિચારવાળી મિત્રમંડળી પ્રાપ્ત થયા પછી તેને અન્ય જગતની દરકાર ન હતી. પણ આધુનિક સુખવાદીઓનું સમાજના સુખ તરફ વિશેષ લક્ષ છે. તેઓ કહે છે કે સમાજ દુઃખી હોય તે આપણે સુખી ન થઈ શકીએ. આપણે સમાજના અવયવ હોવાથી સ્વાભાવિક રીતે જ અન્યને માટે સહાનુભૂતિ ઉત્પન્ન થાય છે અને તે આપણને અન્યના દુઃખનું નિવારણ કરવા તથા સુખનાં સાધન વધારવા કહે છે. તેમની વિચારસંકલના આવી છે અને એવી રીતે સમાજસુખ સાધવામાં જે એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org