________________
કાયાકાર્ય કરાવવાની કટી ૧૪૧ પછી તે વાદમાં સુખલાલસામક અંગનું નિરર્થક બળ વધી પડવું અને તેને હીન સ્વરૂપ પ્રાપ્ત થયું. તેના એરીસ્ટીસ નામના વિદ્વાન અને સુપ્રસિદ્ધ શિષ્યને એવો મત હતું કે, માણસે પિતાનું જ સુખ જેવું; તે જેટલું અધિક ઉસાહકારક, અધિક તીવ્ર અને અધિક કાળ ટકે તેટલું અધિક ઉત્તમ. તે કહે છે કે, બુદ્ધિ વિષયક સુખ કરતાં વિષયસુખ જ સારું, કારણ તે અધિક તાવ અને અધિક સમય ટકનારું હોય છે. તેને એ કબૂલ હતું કે, એવા પ્રકારની સુખ-અસુખમાં વિવેક કરવાની શક્તિ આવી શકે તે માટે શિક્ષણ અને બુદ્ધિવિકાસની જરૂર છે. તેવી જ રીતે તે વણતા હતા કે, જેનાથી વિશેષ સુખ થાય તે માર્ગ સ્વીકારવામાં સુધ્ધાં એક પ્રકારના આ મનિગ્રહની જરૂર છે. ઍડીસ્ટીસ આફ્રિકામાં ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા સીરીન નામના ગામમાં જ હતું તેથી તેને અને તેના અનુયાયીઓનો સરેનાઈક તત્ત્વવેત્તાના નામથી નિર્દેશ થાય છે.
એ સીરેનાઈક તત્વવેત્તાઓને વિષયસુખની પ્રાપ્તિ કરવાનું જ ધ્યેય પસંદ હતું એવી સામાન્ય સમજ છે અને તે બરોબર પણ છે. પરંતુ બધાય સરેનાટક તત્ત્વવેત્તા તેવા હતા એમ કહેવું અન્યાયભલું થશે. થોડોરસ નામનો ઍ ટીપસને શિષ્ય વિષયસુખ કરતાં શાંતિ કિવા સમાધાનવૃત્તિ અને આનંદ (Tranquility and cheerfulness)ને અધિક મહત્વ આપતા હતા. એની સેરીસ નામને બીજો એક સીરેનાઈક તત્ત્વવેત્તા આપમતલબી સુખ કરતાં સહાનુભૂતિના – પરોપકારના સુખને અધિક માનતે હતો. તદપિ સેરેનાઈક તત્ત્વવેત્તાને સુખવાદ કેવળ અસંસ્કૃત, ઉત્તાન, એટલું જ નહિ પણ નગ્ન હતે. અને તેમાં ગ્રાહ્યાંશ છેડે હતે એ વાત કબૂલ કરવી જોઈએ.
સેરેનાઈક સુખવાદ કરતાં એપીક્યુરીયન સુખવાદ ઘણે સુસંસ્કૃત અને ઉચ્ચ દરજજને હતે. એપીકપૂરસ નામના ગ્રીક તત્વવેત્તાએ એ વાદ પ્રસ્થાપિત કર્યો હતો. તે ખ્રિસ્તશક પૂર્વ ૩૮રમાં જન્મે હતો. તેનું કહેવું એવું હતું કે, સુખ એ જ માણસનું ધ્યેય છે, પણ તેને સુખનો અર્થ સંત, સમાધાન, આત્મશાંતિ કિંવા આમપ્રસાદ એ કિંચિત ઉચ્ચ કેટીને હતે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org