SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્યકાર્ય કરાવવાની કસોટી આવ્ય. સિવાય રહેતી નથી. હવે આપણે સત્યત્વ અને સદષત્વ કયાં કેટલા પ્રમાણમાં છે તે જોવું જોઈશે. સુખવાદ આપણા દેશમાં ચાવક નામને સુખવાદી તત્ત્વવેત્તા થઈ ગયો છે. ચાવક પુનર્જન્મ માનતો નહિ, ત્ર કૃત્વા કૃતં પિત એ ઉપદેશ તે આપતા હતા. તેને પૂછ્યું હતું કે કયું કર્મ સારું અને કહ્યું બેટું, ત્યારે તેણે કહ્યું હતું કે, જેથી તમને વિશેષ સુખ થાય તે સારું અને અન્ય બેટું – ખરાબ. કાર્યકાર્યનિર્ણયની આ કસોટી સહેલી, સગવડભરી અને સુખદાયી છે પણ સમાધાનકારક નથી. આપણે આત્મા કેવળ સુખલાલુપ નથી. સુખ ઉપરાંત ઉતર વાત તેને પ્રિય છે. આત્મા આગળ સુખને ડુંગર ગોઠવ્યા છે એવી કલપના કરીએ તો પણ તેથી તે સંતુષ્ટ થશે નહિં. આત્માની તૃષા આત્મજ્ઞાન વિના કદી પણ શાંત થશે સુખવાદ પર વિશેષ ટીકા કરતાં પહેલાં સુખવાદની ચર્ચા કરવાની આવશ્યકતા છે. આપણે ત્યાંના કરતાં યુરોપમાં એ વાદનું જોર વિશેષ છે. મોટા મોટા તત્ત્વવેત્તા એ વાદના સમર્થક છે અને તેમનાં ચરિત્ર સામાન્ય માણસના ચરિત્ર કરતાં ઉચ્ચતર અને શુદ્ધતર હોવાથી તેમના વિચારને વિશેષ આદરણીય ગણવાની જરૂર રહે છે. એપીકયુસ, બેથેમ, જેમ્સ, મીલ, હેમ્સ, લેક, જેન સ્ટ્રઅટ મીલ. સીજવિક વગેરે એ સંપ્રદાયના આધારસ્તંભ ગણાઈ ચૂક્યા છે, પણ તે સર્વના અભિપ્રાય એક બીજા સાથે તંત મળતા થતા નથી. વ્યક્તિ તેટલી પ્રકૃતિ ને ન્યાયે તેમનામાં ઘણી મતવિચિત્રતા છે. યુરોપી નીતિશાસ્ત્રમાં પ્રકાશતા એ ભિન્ન ભિન્ન રંગના મણિ જે એક સિદ્ધાંતસૂત્રમાં ગૂંથાયેલ છે તે સુત્ર આ રહ્યું : માનવપ્રાણી સુખને માટે છે અને જેનાથી સુખની અભિવૃદ્ધિ થાય તે કર્મ સારું અને જેનાથી દુઃખની અભિવૃદ્ધિ થાય તે ખરાબ.” આ સૂત્રમાં સુખ શબ્દને શો અર્થ કરે ? સુખ આપણું જ જેવું કે અન્યનું પણ, વગેરે મહત્વના પ્રશ્ન સંબંધી તેમનામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy