SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશાસ્ત્ર પ્રવેશ પ્રમને જ ટૂંકામાં ઊહાપોહ કરવાની જરૂર છે. અમુક વાત કરવી કે ન કરવી એ આપણા હાથમાં ન હોય, તો શાસ્ત્રની વિધિનિષેધવિષયક આજ્ઞા અર્થશન્ય ઠરે, માટે સ્વાતંત્ર્યવાદ સ્વીકારે. જ જોઈએ એમ એક પક્ષનું કહેવું છે. આ જ અભિપ્રાય : कर्ता शास्त्रार्थवत्त्वात् । એ વેદાંત સૂત્રમાં સુંદર રીતે ગ્રથિત કરેલ છે. પરંતુ સીજવિક વગેરે કેટલાક પાશ્ચાત્ય નીતિશાસ્ત્રલેખક એની વિરુદ્ધ એવું પ્રતિપાદન કરે છે કે, નિયતિવાદ ખરો માનવામાં આવે છેપણ નીતિશાસ્ત્રનું પ્રયોજન નષ્ટ થતું નથી ઊલટું એ વાદ વિધિનિષેધાત્મક શાસ્ત્રવચનોના મહત્તમાં વધારો કરે છે. માણસની બુદ્ધિ અને વર્તન પરિસ્થિતિ પર આધાર રાખે છે માટે એ લેક કહે છે કે, શાસ્ત્રનો ગ્ય ઉપદેશ કી સારી પરિસ્થિતિ ઉત્પન્ન કરી લેવી. એમને કેટીક્રમ એવો છે કે, રાજદંડથી ભય પામી લોક ચેરી આદિ પાપકર્મથી નિવૃત્ત થાય છે એવો અનુભવ હોવાથી જેમ આપણે કાયદા વગેરે ઉપસ્થિત કરી લેકોને શિક્ષાને ભય બતાવી સમાજસુધારાને અનુકૂલ પરિસ્થિતિ ઉત્પન્ન કરી લઈ એ છીએ, તેમજ “સર્ચ વઢ, ધર્મ ઘર' વગેરે ઉચિત શાસ્ત્રવચનાથી સમાજ સુધારાને સહાય કરવી એ પણ તત્વોનું કર્તવ્ય કર્મ છે. શાસ્ત્રનો જે નિરપગી ઠરતાં હોય તો તેનું કારણ સ્વાતંત્ર્યવાદ જ છે; કારણ એવાં શાસ્ત્રવચમાને અને અન્ય પ્રકારની પરિસ્થિતિને દૂર કરી દેવામાં આવ્યા સ્વતંત્ર છે એમ એ પક્ષ કહે છે ! “ આમાં જ્યારે સ્વતંત્ર છે, ત્યારે તેને અમુક કર, તમુક કર, એમ શા માટે કહે છે ? તે પોતાની સતત ત્રતાથી મરજીમાં આવશે તેમ કરશે. તમારા શાસ્ત્રનું તે છાચારી આત્મા શું કંઈ માનશે ખરે?” આવા પ્રકારની વિનદાત્મક કાટી એ પક્ષની હોય છે. પણ એવી કેટી અને પક્ષ દર્શાવી શકે તેમ છે, માટે બહુ ઊંડા ઊતરવામાં અર્થ નથી. માત્ર એટલી વાત ધ્યાનમાં રાખવી કે, સ્વાતંત્ર્યવાદ મનુષ્યમાત્રને પ્રિય છે અને તે હમેશાં ઉત્સાહજનક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy