________________
૧૩૩
આત્મસ્વાતંત્ર્ય હેય છે, ત્યારે કઈ પણ એક પ્રબળ બને છે અને બીજો અસંતુષ્ટ રહે છે. પણ જીવ - શિવનું ઐક્ય કે તાદામ્ય થયા પછી કોણ કોની ઇર્ષા કરે? આપણી જ ખાંધ ઉપર જેમ આપણે બેસી શકતા નથી, આપણી જ મુઠ્ઠીમાં આપણે પિતાની મૂઠ પકડી શકતા નથી, આપણાં જ નેત્રથી આપણ નેત્ર જોઈ શકતા નથી, તેમ જ અંતરાત્માના બંધનનું છે. જીવ – શિવને કલહ હયા તે જીવ – શિવને બંધક થાય, પણ જીવને શિવત્વ મળ્યા પછી શિવને કાનું બંધન રહે?
પુર ઉભય પાસે નથી આત્મસ્વાતંત્રવ્યવાદીઓનું શું કહેવું છે તે ટૂંકામાં અને તરત ધ્યાનમાં આવે એવી રીતે કહેવા માટે વિલિયમ જેમ્સ નામના માનસશાસ્ત્રીએ નીચેની બીજગણિતામક પદ્ધતિનો સ્વીકાર કર્યો છે. તે કહે છે કે પ્રત્યેક કાર્યને તજજનન-સમર્થ એવાં કારણની જરૂર હોય ત્યારે :
કાર્ય = સર્વ કારણે એવું સમીકરણ સર્વેએ સ્વીકારવું જ જોઈએ. હવે કારણોમાં પરિસ્થિતિ, શિક્ષણ, સંગતિ, આગંતુક ક્ષણિક મેહ, પ્રકૃતિ, પૂર્વ જન્મનાં કર્મ વગેરેને અંતર્ભાવ થાય છે; એટલે, “કાર્ય = પરિસ્થિતિ + શિક્ષણ + સંગતિ + .. + . + ... + વગેરે. આ “વગેરે માં “આત્મા’ નામની કઈ સ્વતંત્ર શક્તિ છે કે નહિ એ પ્રશ્ન છે. નિયતિવાદી કહે છે કે પરિસ્થિતિ-શિક્ષણાદિ સર્વ કારણ અને કહેશો એટલે અમે કહ્યું કાર્ય તે કર્તાના હાથે થશે તે કહીશું. આત્મસ્વાતંત્ર્યવાદી કહે છે કે, જો કે એ સર્વ કારણે તમે જાણી શકશે પણ તમે ભૂલ વગરનું ભવિષ્ય વતી શકશો નહિ. “આત્મા” એ અન્ય દસ કિવા વીસ – અથવા ભલે લાખ કહે – કારણમાંનું એક કારણ છે એ કબૂલ છે. અન્ય લાખ કારણને બાજુએ રાખી પિતાનું જ ટ૬ આગળ કરવાની હમેશ આત્મામાં શક્તિ હોય છે જ એવું કંઈ નથી હોતું એ પણ કબૂલ છે. પરંતુ પરિસ્થિતિ, પ્રકૃતિ, કર્મ વગેરે સર્વ કારણથી આત્મા એ એક ભિન્ન કારણ છે એટલું જ અમારું કહેવું છે. પાપમાં ડૂબેલો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org