________________
નીતિશાસ્ત્રપ્રવેશ આપવી વગેરે બાબતમાં પરમેશ્વરરૂપી ગાર્ડ કે કમરૂપી આગગાડીનાં ચક્ર આપણા પર બળા કાર કરતાં નથી.
આ ન્યાયે જોતાં જજન અર્વક પાપાચરણ કરનારને આ જન્મમાં હરિશ્ચંદ્ર કે શિષ્ટ જેવી સાવક બુદ્ધિ પ્રાપ્ત થવાનો સંભવ નહિ હોય; પણ ધીમે ધીમે પિતાવ તામસી સ્વભાવમાં સુધારો કરવાનું કાર્ય તેને સ્વાધીન છે. તેને આત્મનિગ્રહ સારે હશે, તો આ જન્મમાં પણ તે ઘણી જ સારિવક્તા પ્રાપ્ત કરી શકશે અને એ જ ક્રમ ભવિષ્યના જન્મમાં રહી શકે, તો મને ગરમસતત વાત પર તિમ્ – એ ઉક્તિ પ્રમાણે કોઈ ને કોઈ સમયે તેને સદ્ગતિ મળ્યા સિવાય નહિ રહે.
કર્મ, પ્રકૃતિ કિવા પરિસ્થિતિનું બંધન છે; પણ એ બંધન સુધાં મર્યાદિત છે એમ ઉપના વિવેચન ઉપરથી જણાઈ આવશે. એ બંધન કંઈ દોષ સ્વરૂપ નથી. એક રીતે તે ગુરુ સ્વરૂપ જ છે. કોટ ને તુરંગનો હોય છે તે ચિત કરાવે છે, પણ શત્રુ સામે સ્વરક્ષણાર્થે તે બાંધેલો હોય છે તે ઈષ્ટ જણાય છે; તેવું જ એ બંધનનું સમજવાનું છે. આજે આપણે જે કર્મ કરીએ છીએ, તેથી આપણું શીલ અને ભાવી આયુષ્ય ઘણું નિયમિત બને છે, એ વાત આપણું લાભની જ છે, માંકડને. કરડવાથી નિદ્રા આવતી નથી તેમાં આપણે દેવ નથી; એ પરિસ્થિતિને દોષ છે. મચ્છરદાની નાખ્યા પછી મચ્છરને ત્રાસ દૂર થઈ નિદ્રા આવે તે એ પરિસ્થિતિનો ગુણ છે, પણ તેમાં એટલું છે કે એ પરિસ્થિતિ પ્રાપ્ત કરવાનું કાર્ય આપણી સત્તામાં હતું. મચ્છરદાની વગેરે પ્રાપ્ત થયા પછી આપણા શાત અવયવને પલંગ પર નિદ્રા આવે છે, એ આપણી પ્રકૃતિને ગુણ આપણા જાણવામાં હોવાથી આપણે યોગ્ય ઉપાય આદરી શકીએ છીએઆપણે સદાચાર રાખીશું તે કાલાંતરે ઈદ્રિયનિગ્રહ સહેલે થશે અને કેટલીક બાબતમાં એવી સ્થિતિ પ્રાપ્ત થશે કે, સામાન્ય માણસને જે “મોહ” લાગે છે તે આપણને લાગશે નહિ; પરંતુ મોહની પરની સ્થિતિ પ્રાપ્ત કરી લેવી કે નહિ તે આપણા હાથની વાત છે અને એ જ સારું છે. અનેક વર્ષ તપસ્યા કરવા છતાં જો મેહ પૂર્વ પ્રમાણે જ કાયમ રહે તે કંઈ શ્રેય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org