________________
૧૨૮
નીતિશાસ્ત્રપ્રવેશ વૃદ્ધિ માંનુણાીિ એમ કહી હાથ જોડી સ્વસ્થ બેસી રહેવું કે શું? આપણું શાસ્ત્ર તો એવું ભણાવતું નથી. ઉપર કહ્યું છે કે, ગીતાનું કથન તે એ છે કે, મામૈ શ્રેમનો વંધુરામૈવ રિપુરામન:. પરંતુ, એ પણ ખોટું નથી કે, ગીતા જ અન્ય સ્થાને કથે છે : હે પાર્થ, પ્રકૃતિ આગળ કોઈનું કંઈ ચાલવાનું નથી, તારા જેવાને જે અભિમાન છે કે, હું આમ કરું ને તેમ કરું તે વ્યર્થ છે. તું કહે છે કે લડીશ નહ; પણ એ ભ્રમ છે.’
यदहंकारमाश्रित्य न योत्स्य इति मन्यसे । मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति ॥ स्वभावजेन कौन्तेय निवद्धः स्वेन कर्मणा ।
कतुं नेच्छसि यन्मोहात्करिष्यस्यवशो हि तत् ॥ હે અર્જુન, તને તારી ક્ષાત્રવૃત્તિ તારી ઈચ્છા વિરુદ્ધ યુદ્ધમાં પ્રવૃત્ત કરશે. તું તો શું પણ મોટા મોટા જ્ઞાનસંપન્ન માણસોનું પણ પ્રકૃતિની બળવાન સત્તા આગળ કંઈ ચાલવાનું નથી.”
सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि ।
प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति ॥
અને બીજું એ કે, હું યુદ્ધ કરું છું, હું યુદ્ધ કરતા નથી, આ હું કરું છું, તે હું કરતા નથી, એવા પ્રકારની અહંકારાત્મક ભાષા જ ભૂલભરી છે. કારણ, તું કર્તા જ નથી. કતૃત્વ બધું પ્રકૃતિગુણુનું છે.
प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः । ___ अहंकारविमूढात्मा कर्ताऽहमिति मन्यते ।।
હું તો છું,” એ બુદ્ધિ જ જ્યાં મૂળમાં ભૂલભરી છે, ત્યાં પછી “મારે અમુક કરવું છે અમુક નથી કરવું” એ ભાષા જ બંધ પડે છે. પરંતુ ગીતાને અભિપ્રાય એ નિરુત્સાહજનક નથી. એ સર્વ વચનને અર્થ એટલે જ લેવાને છે કે, મન દુનિંગ્રહ છે. મનને નિગ્રહ કરવાનું કામ સહેલું નથી. પણ ગીતાને ઉપદેશ એવો છે કે, અભ્યાસ અને વૈરાગ્યથી ચંચલ મનનું નિયમન થઈ શકશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org