________________
૧૨૬
નીતિશાસ્ત્રપ્રવેશ સમજીને આગળથી સંબંધીઓને સર્વ કંઈ કહી દઈ પોતે જ પિતાનો કારાગારમાં પ્રવેશ કરાવી લે છે. હાલમાં માણસના હાથે પાપકર્મ કેમ થાય છે એ વિષેને અભ્યાસ એટલે સૂક્ષ્મ, વિસ્તૃત અને ડે થયો છે કે, તેનું એક શાસ્ત્ર જ બન્યું છે. એને Criminology કિંવા પાપમીમાંસા” શાસ્ત્ર કહે છે. એ શાસ્ત્ર વિષયક પુસ્તક વાંચ્યા પછી એમ જ લાગે છે કે, કેટલાક ગુનેગાર ખરેખર ગુનેગાર નહિ હોતાં, દુનિવાર એવી પાપપ્રવૃત્તિ આપનાર તેમના વડવાઓ જ તે માટે અપરાધી હતા.
છા નહિ હોવા છતાં માણસ કેટલીક વખત પાપ કરે છે – ઉનિરછન્ન િવાચ વાવ નિચકિતઃ એમ ભગવદ્ગીતામાં કહ્યું છે. એ સ્થિતિને સને થેડે ઘણે અનુભવ છે; પણ ઉત્કૃષ્ટ ઉદાહરણની જરૂર હોય તો તે મને વિકૃતિમીમાંસા સંબંધીના ગ્રંથમાં ( Mental Pathology )થી મળી શકશે.
વિકૃત મને વૃત્તિનું તે શું પણ સર્વ વાતનું તેમ છે, એ વિકાસવાદને સિદ્ધાંત છે. માણસની સર્વ ઇંદ્રિય ધીમે ધીમે વિકાસ પામેલી છે. સજીવ પ્રાણીના આદ્યજનક જીવબિંદુ, તેનાથી બે બિંદુ, તેનાથી ચાર એમ થતાં થતાં, મત્સ્ય સર્પ વગેરે બની પછી તે જીવબિંદુને મનુષ્યપ્રાણીનું વિકસિત સ્વરૂપ પ્રાપ્ત થયું. માણસ હાસ્ય કરે છે ત્યારે તથા તે ખીજવાય છે ત્યારે તેના વદનનું જે સ્વરૂપ થાય છે, તેની ઉ૫પત્તિ લગાડવાને પણ ડાર્વિન, સ્પેન્સર વગેરે શાસ્ત્રોએ પ્રયત્ન કર્યો છે અને તે અતિ મનેવેધક તથા બેધપ્રદ પણ બને છે. દાખલા તરીકે, ક્રોધાવેશ થતાં નાકનાં નસ્કોરાં ફૂલે છે તેનું કારણ સ્પેન્સર એવું જણાવે છે કે, પૂર્વે હજારે વર્ષ ઉપર જ્યારે આપણે જંગલી અવસ્થામાં અથવા વાંદરની અવસ્થામાં હતા, ત્યારે ક્રોધ થતાં શત્રુને એકાદ અવયવ મુખમાં પકડતા હતા; તેથી શ્વાસ માટે અન્ય દ્વાર કુલાવવાની જરૂર રહેતી હતી. એ જ ટેવ આજે અદ્યાપિ પર્યત અવશેષ રહેલી છે. કેધથી ગાલ લાલ કેમ બને છે, ધ્રુજારે કેમ છૂટે છે, વગેરે બાબતની વિકાસવાદીઓએ એવી જ ઉપપત્તિ લગાડેલી છે.
* See William James' Psychology, i. i. P. 479.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org