________________
૧૨૪
નીતિશાસ્ત્રપ્રવેશ સમર્થન કેટલીક વખત કરવામાં આવે છે. આ વૃત્તિ હમણાંની નથી, જૂની છે; કદમાં વરુણને ઉદ્દેશી એક ભક્ત કહે છે :
न स स्वो दक्षो वरूण धृतिः सा सुरा मन्युर्विभीदको अचित्तिः ।।
अस्ति ज्यायान्कनीयस उपारे स्वप्नश्चनेदनृतस्य प्रयोता । “હે વરુણ, હું જે પાપ કરું છું તે હું કરતું નથી, મારી શક્તિને નહિ પણ એ તે દેવને પ્રતાપ છે. અને દારૂ, મનોવિકાર જુગાર, અજ્ઞાન વગેરે એ દેવના સેબતી છે. તેમાં વળી વડીલ માણુની સંગતિ પાપ તરફ મનને ખેંચવાને તૈયાર જ છે. નિદ્રા સમયે મનમાં કેટલાય પાપા મક વિચાર આવતા હશે અને તેથી જે કંઈ પાપ થતાં હશે તે તે જુદાં જ.”
જગતમાં સત્યનું પુણ્ય લેનાર અને દુષ્કાનું પાપ નહિ લેનાર એવા બન્ને પ્રકારના માણસ મળી આવે છે. માટે અ. પ્રશ્નને જરા ઊંડે વિચાર કરવાની આવશ્યકતા છે.
કર્મવાદને આધુનિક વિકાસવાદ (Evolution)ની ઘણ મદદ છે. કર્મવાદ કહે છે, “કસ્મગતિને અનુસરીને જ માનવ યોનિમાં જન્મ પ્રાપ્ત થાય છે અને માનવ જન્મમાં જેવાં સત કે અસત્ કર્મ થાય છે, તે પુનર્જન્મ થઈ, સર્વપ્રધાન, રજ:પ્રધાન કે તમાપ્રધાન વૃત્તિ પ્રાપ્ત થાય છે; અને કર્મગતિને અનુસરીને જ બ્રાહ્મણ કે બ્રાહ્મણેતર જાતિમાં જન્મ પ્રાપ્ત થાય છે; આધુનિક વિકાસવાદી કહે છે, “બાળકે વડવાઓના ગુણધર્મ લઈને જન્મ પામે છે. સ્વરૂપ પણ માતા જેવું, પિતા જેવું કે દાદા જેવું હોય છે એ પ્રત્યેકની નજરે પડે છે. સ્વભાવ સંબંધમાં પણ પુત્રઃ પિતરમનુઢત્તિ એ તત્ત્વ ખરું હોવાનો અનુભવ થાય છે. માતાપિતાને ક્ષય, ઉપદંશ વગેરે વ્યાધિ હોય છે, તે તે બાળકને પણ પ્રાપ્ત થાય છે. માતાપિતા દારૂડિયાં હોય છે, તે બાળકની પ્રવૃત્તિ પણ સ્વભાવિક રીતે મદ્યપાન તરફ થાય છે. પરંતુ એવી રીતના ઉપાર્જિત ગુણ (acquired characters) ભાવી પ્રજામાં ઊતરે છે કે કેમ તે વિષે આધુનિક ભૌતિક શાસ્ત્રોમાં જ અદ્યાપિ વાદવિવાદ છે. કેટલાક કહે છે, પેઢીઓની પેઢીઓ સુધી એક કુળમાં વિદ્યાભ્યાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org