SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસ્વાતંઘ અધ્યાત્મ-શક્તિનું – પુરુષનું – સ્વતંત્ર અસ્તિત્વ પ્રતિપાદન કરતાં જ પેન્સર જે ત્રાગુ કરે છે અને અત્રહ્મણ્યમ્ બત્રાગ્યમની બૂમ મારે છે, તેને ઊંડા વિચારને ટકે નથી એમ આ ઉપરથી જણાઈ આવશે. ૬. હવે કર્મવાદ અને પ્રવૃત્તિ સ્વાતંત્ર્યવાદની એકવાક્યતા સંભવિત છે કે નહિ તેને વિચાર કરીશું. અમુક એક કાર્ય કરવું કે ન કરવું એ આપણી બુદ્ધિ પર અવલંબી રહેલું હોય છે; પણ જે બુદ્ધિ કર્માનુસારિણી હોય તે પછી આત્માનું સ્વાતંત્ર્ય કયાં રહ્યું? આત્મા ઢામનો વંધુરામૈવ રિપુરામન: એ સૂત્ર અને વૃદ્ધિઃ કમનુણા એ સૂત્રનાં તત્ત્વોની આપણે એકવાક્યતા કરવાની છે. જગતના આરંભથી કમનું જે ચક્ર ચાલી રહેલું છે, તેની દિશામાં લેશમાત્ર પણ પરિવર્તન થવું શક્ય નથી એમ એક વચન પરથી જણાય છે કારણ, ઇચ્છા થવી કે ન થવી એ જ મૂળમાં આપણા હાથની વાત નથી ! એમ કહીએ ત્યારે બીજા વચનનું સાર્થ શું? અમુક કર ને અમુક ન કર એમ કહેવું જ કાને? જેને બુદ્ધિ સ્વાધીન હેય તેને. પણ બુદ્ધિ કર્માનુસારિણી કર્યા પછી વિધિનિષેધાત્મક શાસ્ત્રવચનનું શું કરવું ? જે આત્મા ખરેખર કત ન હોય, તે જે સર્વ રીતે પ્રકૃતિને આધીન હોય, તે શાસ્ત્રનાં શાસન નિરર્થક બને; કારણ તેનું પાલન કે અપાલન પોતાના હાથમાં નથી ! તાં રસાસ્ત્રાર્થવરવા એ વેદાંતસૂત્રમાં એ જ અર્થ અભિપ્રેત છે. આપણે જોઈએ છીએ કે, ઉત્તમ કાવ્ય રચનાર કેટલાક કવિ “અમે શું કરીએ છીએ? પ્રભુ અમારા હસ્તે લખાવે છે, એટલું જ !' એમ કેવળ ઉપર ઉપરથી નહિ પણ હૃદયપૂર્વક કહે છે. ઉત્તમતાનું શ્રેય જેમ કેટલાક માણસે લેતા નથી, તેમ ખરાબનું પાપ પણ કેટલાક સ્વીકારવાને તૈયાર નથી. “અમે શું કરીએ છીએ ? એવી બુદ્ધિ થશે એ તે ઠરેલી જ વાત હતી. તેના આગળ અમારે શો ઉપાય ?' એ રીતે પિતાના પાપનું - * અર્થ: આત્મા સ્વતંત્ર કર્તા છે, કારણ એમ ન માનીએ તે વિધિનિષેધાત્મક શાસ્ત્રનો અર્થ રહેતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy