________________
૧૧૮
નીતિશાસ્ત્ર પ્રવેશ એક ઉપનિષદમાં એવું કહ્યું છે કે, ચમેન ત્રિનીષત તેં સાધુ જર્મ જાતિ, ચમોનિનીuતે તમસા જર્મ વારતિ – જેની ઉન્નતિ ઈશ્વર ઈચ્છે છે. તેને તે સારી બુદ્ધિ આપે છે; અને જેનો અધઃપાત કર હોય છેતેને પાપમાગે ચડાવે છે. આ દૃષ્ટિએ જોતાં હનુમવતુમન્યથાવતું સમર્થ ઈશ્વર આગળ કાઈએ એવું અભિમાન કરી શકશે નહિ કે, હું કદી પણ પાપ કરીશ નહિ. ઈશ્વરની મરજી થશે, તો તે પાપ કરાવશે જ. પરંતુ ઊઠતા બેસતાં તેને એવી ઇચછા થતી હશે એમ માનવાનું કંઈ પ્રયોજન નથી. તેવી જ રીતે મેટું મહત્ત્વનું કારણ હશે ત્યારે તે કઈ એકને પાપમાં પ્રવૃત્ત કરશે; પણ વિના કારણે તે હમેશ એવી ભાંજગડમાં પડે છે એમ આપણે શા માટે માનવું ?
અહીં પણ ગુરુશિષ્યના દષ્ટાંતથી ભાવાર્થ વિશેષ સ્પષ્ટ થશે. શિક્ષક વિદ્યાથીને છેડી રીત દર્શાવશે, સૂચવશે તો તે દાખલો કરી શકશે; ઠીક, તે વિદ્યાથીને ભૂલાવવો હશે તે તેમ કરવાનું પણ ગુરુના હાથમાં હોય છે; પરંતુ સારે શિક્ષક બધા ખાસ ઇરાદાપૂર્વક શિષ્યને ભૂલવા નથી અને ખરી રીત પણ સૂચવતું નથી. તે કહે છે કે, વિદ્યાથીએ પિતાની બુદ્ધિને ઉપયોગ કરી ખરી રીત શોધી કાઢવી જોઈએ. વખત જાય તે વાંધો નહિ. દાખલાનો જવાબ બેટો આવે તે પણ અડચણ નહિ. વિદ્યાર્થી પાસેથી ખરે ઉત્તર કઢાવ કિંવા ખોટા કઢાવ એ છે કે ગુરુના હાથમાં સર્વ પ્રકારે હોય છે, તે પણ તે પોતાની શક્તિને પેટીમાં રાખે છે અને વિદ્યાર્થીને પિતાની અક્કલનો ઉપયોગ કરવાનું શીખવે છે. એ જ ન્યાય ઈશ્વર અને માણસ વચ્ચે કેમ લાગુ પાડવો ન જોઈએ?
બીજો એક દાખલો આપી આ વિષય આટોપી લઈશું. ધારે કે, શેતરંજ રમવામાં નિપુણ એવો માણસ કે એક શીખાઉ માણસ સાથે રમે છે. શીખનારનાં કેટલાંક મહોરાં અને યાદાં જીવે છે અને નિપુણના વજીર વગેરે સર્વ જીવે છે. વાકેફ માણસ શીખાઉ માણસને ગમે તેમ નચાવી શકશે; પણ બીડી. પીવાની કે બીજા સાથે વાત કરવાની ધૂનમાં તે નિપુણ માણસ રમત તરફ દુર્લક્ષ કરે છે અને શીખનારને ઘેરી ન લેતાં છુટો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org