________________
આત્મસ્વાતંત્ર્ય
૧૧૭ આના સંબંધમાં કેટલાક આક્ષેપક એવી કેટી લડાવે છે કે, ઈશ્વરનું સર્વજ્ઞત્વ અને આત્મસ્વાતંત્ર્યનું ખડાષ્ટક નહિ હોય; પણ મેટું માછલું નાના માછલાને ગળી જાય છે તેમ ઈશ્વરનું સર્વશક્તિમત્વ અપબેલ માનવનું સ્વાતંત્ર્ય પિતાના પ્રચંડ જડબામાં હોમી દે છે. ઈશ્વર જ્યારે તુમક7મચાવતું સમર્થ છે, ત્યારે હું અમુક એક વાતને ઇચ્છું છું અને અમુકને નિષેધ કિંવા ત્યાગ કરું છું, તેનું પરાત્પર કારણ ઈશ્વર છે એમ કહેવું જોઈએ. અર્જુનને વિશ્વસ્વરૂપદર્શન થયા પછી પ્રભુના મુખમાં કેટલાયે પ્રાણીઓ જાય છે, આવે છે, પડે છે, આળોટે છે અથડાય છે એવું દશ્ય જણાયું હતું. ઈશ્વરના સર્વશક્તિમત્તના ઉદરમાં માનવપ્રયત્ન એવા પ્રકારે નહિ જણાય કે?
ઈશ્વર માણસના આત્માને અમુક એક દિશાએ પ્રેરે છે એમ કહે, કાંતિ પ્રેરતે નથી એમ કહે. પ્રેરણા આપતું હોય તે સ્વાતંત્ર્ય નષ્ટ થયું એ વાત કબૂલ કરે; પ્રેરણા ન કરતે હોય તે ઇશ્વરનું સર્વશક્તિમત્ત સર્વવ્યાપી નથી, મર્યાદિત છે એમ સ્વીકારે; એ આ પૂર્વપક્ષને દાવ છે. પણ એ દાવને જવાબ એ છે કે, ઈશ્વરની શક્તિ અમર્યાદિત છે એમ કહીએ તેથી એમ નથી થતું કે, તે હમેશ પિતાની શક્તિનો ઉપયોગ કરે છે. મને સુબુદ્ધિ કિંવા કુબુદ્ધિ આપવાની ઈશ્વરમાં શક્તિ છે પણ તે એ શક્તિને ઉપયોગ તેની મરજી હશે ત્યારે જ કરશે. તેને જે લાગશે કે, એ આત્માએ પિતાને ઉદ્ધાર પોતાના પ્રયત્નથી કરી લે જોઈએ, તો તે મારા પ્રયત્ન – મારું પતન પણ – તટસ્થ વૃત્તિથી જઈ રહેશે.
Their Maker, or their making, or their fate, As if pre-destination overruled Their will, disposed by absolute decree, Or high fore-knowledge; they themselves decreed Their own revolt, dot I; if I foreknew, Foreknowledge had no influence on their fault, Which had no less proved certain unforeknown."
Milton ( Paradise Lost BK. iii)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org