________________
૧૧૪
નીતિશાસ્ત્રપ્રવેશ બદ્ધ નથી એમ કહેવું તે “કારણ સિવાય કાર્ય થાય છે” એમ કહેવા જેવું છે.” પણ સ્વાતંત્ર્યવાદી લેકેનું કહેવું એટલું જ છે કે, વાસના છે પણ તે આપણું જ હોય છે, ત્યારે જ તે કાર્યપ્રવર્તક બને છે. ઇન્દ્રની કુવાસની દુવાસાને પ્રેરક બનતી નથી. ભીમની વેર લેવાની ઈચ્છા ધર્મરાજને દુઃશાસનનું રક્ત પાન કરાવતી નથી. બોલતી વખતે આપણે કહીએ છીએ કે, અમુકના હદયમાં અમુક વાસના પ્રબળ થઈ તેથી તેણે અમુક કર્યું, પરંતુ એ પરથી જે કઈ એમ સમજે કે, “તેના હૃદયમાં વાસના નામની અનેક સ્ત્રીઓ નિવાસ કરે છે અને તેમાં કલહ ઉત્પન્ન થયા પછી તેમાં જે પ્રબળ હોય છે તેનું જ કહેવું તે મારા સાંભળે છે, તે કહેવું જોઈએ કે એવી અલંકારિક ભાષા વાપરવાની સવડ જ રહી નથી. વાસના હથેળીમાં નચાવે છે; પણ કયારે ? તે આપણી ધર્મપત્ની બને છે ત્યારે, તેનો સ્વીકાર કર્યા પછી તે આપણા પર સત્તા ચલાવે છે; પણ સ્વીકાર કરે કે નહિ તે આપણું હાથની વાત હોય છે. મારા હૃદયમાં રહેલી પાણી પીવાની ઇચ્છા મને પાણી પાય છે, પણ ક્યારે ? હું જ્યારે પાણી પીવાની ઈચ્છા અમલમાં મૂકવી એમ કહું છું ત્યારે; એ વિના નહિ. જ્યાં સુધી પીવાની ઇચ્છાને હું માન આપતા નથી, તાત્કાલિક તેને સ્વીકાર કરતા નથી, ત્યાં સુધી તે સ્વસ્થ રહે છે અને ઘેર આવ્યા પછી મારી સંમતિથી તે મારા પર સત્તા ચલાવે છે. ઈરછા, વાસના, હેતુ એ કામ પણ કર્મનાં કારણ નથી. ખરું પ્રવર્તકત્વ મારા પિતામાં છે. ખરી સ્થિતિ એવી છે કે, હું બેસું છું, હું ઊડું છું, હું માફી માગું છું, હુ ઉદ્ધત વર્તાને ચલાવું છું.
૩, વવાદ અને નિયતિવાદ (Determinism) માં સહેજ કરક છે. પ્રવૃત્તિસ્વાતંત્ર્યવાદી દૈવવાદી હોઈ શકે ખરે. તે પ્રયત્નવાદી જ હેય છે એવું કંઈ નથી હોતું. દૈવ નામની સ્વતંત્ર શક્તિ છે એમ માનીને દેવવાદ કહે છે કે, માણસ ગમે તેટલે પ્રયત્ન કરે પણ જે બનવાનું તે તે બને જ. દાખલા તરીકે, લીલાવતીનું વૈધવ્ય ભાસ્કરાચાર્યની પ્રવૃત્તિથી ટળ્યું નહિ. દૈવવાદ એમ નથી કહેતો કે, ભાસ્કરાચાર્યને પ્રવૃત્તિ સ્વાતંત્ર્ય નથી, યા તેને છ એવી દિશાએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org